કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂ 10 મહિનાની જેલની સજા કાપીને હવે બહાર આવ્યાં છે. જેલથી નિકળ્યાં બાદ સિદ્ધૂએ રાહુલ ગાંધીને ક્રાંતિ કહ્યું.
જેલમાંથી નિકળેલા સિદ્ધૂ રાજ્ય સરકાર પર ભડક્યાં
રાહુલ ગાંધીને કહ્યું ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી
જેલમાં અનુભવેલા ષડયંત્ર વિશે પણ જણાવ્યું
તેમણે કહ્યું કે જ્યારે જ્યારે દેશમાં સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ આવી છે. એ ક્રાંતિનું નામ છે રાહુલ ગાંધી તે સરકારને હચમચાવી નાખશે. આ સિવાય નવજોતસિંહે આરોપ લગાડ્યો કે જેલમાં મારી સાથે ષડયંત્ર થયું. મને બપોરની આસપાસ મુક્ત કરવાનાં હતાં પરંતુ તેમાં તેમણે મોડું કર્યું. તે ઈચ્છતા હતાં કે મીડિયાનાં લોકો ચાલ્યાં જાય.
'એક સિદ્ધૂ મારી નાખ્યો..'
સિદ્ધૂએ રાજ્ય સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું કે ભગવંત માન અખબારી મુખ્યમંત્રી બની ગયાં છે. પંજાબમાં નેતાઓનું રક્ષણ ઘટાડવાનાં મુદા પર નવજોતસિંહે કહ્યું કે મારી પણ સિક્યોરિટી ઓછી કરવામાં આવી છે. એક સિદ્ધૂ(સિદ્ધૂ મૂસેવાલા) તો મરાવી નાખ્યો, બીજો પણ મારી નાખો...
સુપ્રીમ કોર્ટે ગતવર્ષે 19 માર્ચનાં રોજ રોડરેઝ મામલામાં નવજોતસિંહ સિદ્ધૂને એકવર્ષની સજા સંભળાવી હતી. પરંતુ જેલમાં સિદ્ધૂનો સારો વ્યવહાર જોઈને તેમને 2 મહિના પહેલા જ જામીન મળી ગઈ છે. સિદ્ધૂ પટિયાલા જેલથી નિકળતાની સાથે જે તેમણે મીડિયા સાથે વાત કરી હતી.
જેલમાંથી નિકળીને તરત જ મીડિયા સાથે કરી વાત
સિદ્ધૂને જામીન મળે તે પહેલાં જ પટિયાલા જેલની બહાર કોંગ્રેસનાં કેટલાય કાર્યકર્તાઓ પહોંચી ગઈ હતી. પટિયાલા જેલની બહાર ઢોલ-નગારાં વગાડીને સિદ્ધૂનું સ્વાગત પણ કર્યું હતું. જેલથી નિકળીને તરત જ સિદ્ધૂએ સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ કર્યું. તેમણે કહ્યું કે લોકતંત્રનાં નામે કોઈ વસ્તુ બચી નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અલ્પસંખ્યકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે. સિદ્ધૂએ સરકારને પડકારતા કહ્યું કે પંજાબને કમજોર કરવાનાં પ્રયત્નો કર્યાં તો પોતે જ કમજોર થઈ જશો.
VIDEO | Congress leader Navjot Singh Sidhu walks out of Patiala Central Jail. He was sentenced to a one-year term in a 1988 road rage case that led to a 65-year-old man's death. pic.twitter.com/HlWGvzb86r
સારા વ્યવહારનાં કારણે જલ્દી થયાં મુક્ત
કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધૂને 1 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તેમને 10 મહિનામાં જ મુક્ત કરવામાં આવ્યાં. તેમના વકીલ HPS વર્માએ જણાવ્યું કે પંજાબ પ્રિઝન રુલ્સ અનુસાર જો કોઈ કેદીનો વ્યવહાર યોગ્ય હોય છે તો તેમને સમયથી પહેલાં મુક્ત કરવામાં આવી શકે છે. આ નિયમાનુસાર જો કોઈ કેદીનો વ્યવહાર સારો હોય છે તો દરમહિને તેની 5થી 7 દિવસની સજા ઓછી થાય છે. બોલીવુડ એક્ટર સંજય દત્તને પણ આ આધારે જ સમય પહેલા મુક્તિ મળી હતી.
35 વર્ષ જૂના કેસમાં થઈ હતી સજા
સિદ્ધૂને SCએ ગતવર્ષે 1988નાં રોડરેઝ કેસમાં 1 વર્ષની સજા સંભળાવી હતી. તે છેલ્લાં 10 મહિનાથી જેલમાં બંધ હતાં અને આજે મુક્ત કરવામાં આવ્યાં છે. 27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધૂ પોતાના મિત્ર રૂપિંદરસિંહ સંધૂની સાથે પટિયાલાનાં શેરાવાલે ગેટની માર્કેટમાં પહોંચ્યાં હતાં. આ માર્કેટમાં કાર પાર્કિંગનાં મામલામાં તેમની બબાલ 65 વર્ષીય ગુરુનામસિંહ સાથે થઈ અને વાત મારપીટ સુધી પહોંચી ગઈ. સિદ્ધૂએ આ વડીલને ઘુંટણ મારીને નીચે પાડી દીધાં હતાં. ત્યારબાદ ગુરુનામસિંહને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું અને ત્યાં તેમનું મોત થઈ ગયું. રિપોર્ટ અનુસાર ગુરુનામસિંહનું મોત હાર્ટઅટેક આવવાને લીધે થયું હતું. એ જ દિવસે સિદ્ધૂ અને તેમના મિત્રની સામે કોતવાલી સ્ટેશનમાં ગુનાહિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.