સિદ્ધુ 9 તારીખે કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં સામેલ થઇ શકશે
કોંગ્રેસ નેતા સિદ્ધુએ વિદેશ મંત્રી એસ જયશંકર પાસે મંજુરી માંગી હતી
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ કરતારપુર કોરિડોરના ઉદઘાટન પર પાકિસ્તાન જઇ શકશે. સૂત્રો અનુસાર, વિદેશ મંત્રાલય તરફથી નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા મંજુરી અપાઇ છે. જે મુજબ, તેમણે 9 તારીખે કરતારપુર કોરિડોર કાર્યક્રમમાં સામેલ થઇ શકશે. એેએનઆઇ મુજબ, સૂત્રોએ જણાવ્યું કે, 9 નવેમ્બરે કરતારપુર સાહિબ કોરિડોર યાત્રા માટે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને રાજનૈતિક મંજુરી મળી ગઇ છે.
Sources: Political clearance has been granted to Congress leader Navjot Singh Sidhu to travel through the Kartarpur Sahib Corridor on 9th November. pic.twitter.com/vVfQexF5hz
નોંધનીય છે કે પાકિસ્તાનના મુખ્ય અતિથિના રૂપે પૂર્વ પીએમ મનમોહન સિંહને આમંત્રણ મોકલ્યું હતું. જેને તેમણે ફગાવી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાને સિદ્ધુને આમંત્રણ મોકલ્યું હતું. કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર પાસે વધુ એકવાર મંજુરી માંગી હતી. તેમણે ત્રીજીવાર વિદેશ મંત્રીને પત્ર લખ્યો હતો. આ પહેલા તેમણે એસ જયશંકર અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરની મંજુરી માંગી હતી.
સિદ્ધુ દ્વારા વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા ત્રીજા પત્રમાં કહ્યું હતું કે જો તેમને કરતારપુર કોરિડોરના ઉદઘાટન સમારોહમાં સામેલ થવા માટે સરકારની તરફથી મંજુરી મળતી નથી તો સામાન્ય નાગરિકની જેમ તેમણે પણ નહીં જાય.
આ પહેલા પાકિસ્તાન ઉચ્ચ આયોગે બુધવારે નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાન જવા માટે વિઝા જાહેર કર્યા છે. ભારત સરકારે પહેલા જ સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન સરકાર દ્વારા આમંત્રણ કરવામાં આવેલ તમામ લોકોએ પહેલા રાજનૈતિક મંજુરી લેવી પડશે.