કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, નવજોત સિંહ સિદ્ધુ તેમના રાજનૈતિક ભવિષ્યના આગામી દાવને અનુલક્ષીને ભગવંત માનને મળી રહ્યાં છે.
સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રી સાથે આજ રોજ કરશે મુલાકાત
રાજકારણના આગામી દાવને લઈને કરી રહ્યાં છે આયોજન
મુલાકાત પહેલાં સિદ્ધુએ શાયરાના અંદાજમાં પોતાની વાત રજૂ કરી
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂની રાજનીતિ કોંગ્રેસમાં લગભગ સમાપ્ત થઈ ગઈ છે. અને હવે તેઓ રાજકારણ માટે નવુ ઠેકાણું શોધી રહ્યાં છે. પાર્ટીના સૂત્રોની માનીએ તો પાર્ટી અનુશાસન વિરૂદ્ધ કામ કરવાના કારણે ગમે ત્યારે સિદ્ધુ પર કાર્યવાહી થઈ શકે છે. તેના પહેલા સિદ્ધુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનથી મળવા જઈ રહ્યાં છે અને કોંગ્રેસના સૂત્રોનુ માનવું છે કે, તેઓ પોતોના રાજનૈતિક ભવિષ્યના આગામી દાવના કારણે ભગવંત માનને મળી રહ્યાં છે.
Will meet CM @BhagwantMann tomorrow at 5:15 PM in Chandigarh to discuss matters regarding the revival of Punjab’s economy . . . Punjab’s Resurrection is only possible with an honest collective effort . . .
નવજોત સિંહ સિદ્ધુના વિશે બધાને લાગે છે કે, તેમના સ્વભાવ અને બોલીના કારણે પાર્ટીમાં તેમની કોઈ પણ નેતાથી નથી બનતી, પરંતુ તેનાથી કોઈ ફર્ક નથી પડતો કેમકે લોકો તેમને પસંદ કરે છે અને તેમની સાથે છે. જોકે 2022ના વિધાનસભા ચૂંટણીઓમાં સિદ્ધુની આ પોલ ખુલી ગઈ અને તેમનું ધારાસભ્યપદ છીનવાઈ ગયું. તેની સાથે જ નવજોત સિદ્ધુનો મુખ્યમંત્રી બનવાનું સપનું તો ટૂટ્યું જ સાથે પંજાબ કોંગ્રેસનું અધ્યક્ષ પદ પણ ખોઈ બેઠા.
શું હવે ફરી પાર્ટી બદલશે નવજોત સિંહ સિદ્ધુ ?
નવજોતસિંહ સિદ્ધુ હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનથી મળવા જઈ રહ્યાં છે. આ વાતની જાણકારી ખુદ સિદ્ધુએ ટ્વીટ કરી લોકોને આપી અને જણાવ્યું કે આ મુલાકાત પંજાબની આર્થિક સ્થિતિ પર ચર્ચા માટે છે. જો કે કોંગ્રેસ પાર્ટીના સૂત્ર અનુમાન લગાવી રહ્યાં છે કે, સિ્દ્ધુનો રાજનૈતિક ભવિષ્ય કોંગ્રેસમાં સમાપ્ત છે, તો થઈ શકે છે કે, તેઓ પોતોના રાજનૈતિક ભવિષ્યના આગામી દાવને લઈને ભગવંત માનને મળી રહ્યાં છે.
જણાવી દઈએ કે ભગવંત માન સાથેની મુલાકાત પહેલા જ સિદ્ધુએ બે શાયરી શેર કરી ઈશારામાં પોતાની વાત મૂકવાની કોશીશ કરી હતી. પ્રથમ ટ્વીટમાં સિદ્ધુએ લખ્યું કે, "અમારી અફવાઓનો ધુમાડો ત્યાંથી ઉઠે છે જ્યાંથી આગ અમારા નામની લાગે છે." ત્યારબાદ એક કલાક પછી, સિદ્ધુએ એક અન્ય ટ્વીટ કર્યું અને લખ્યું, "કરતા તો અમે બંને હતા, અમે પ્રયત્ન કરીએ છીએ, તે ષડયંત્ર." જો કે સિદ્ધુનો નિશાનો કોની પર છે, તેઓએ તેની સ્પષ્ટતા કરી નથી.
हमारी अफ़वाहों का धुआँ वहीं से उठता है , जहां हमारे नाम से आग लग जाती है ...
કોંગ્રેસ હાઈકમાન્ડ નવજોતસિંહ સિદ્ધુથી ખૂબ જ નારાજ છે કેમકે, પાર્ટીના સીનિયર નેતાઓએ પાર્ટી અનુશાસનના વિપરિત કાર્ય કરવાના કારણે સિદ્ધુ વિરૂધ્ધ ખૂબ લાંબી ફરિયાદ કરી છે. જેના પર પાર્ટી ગમે ત્યારે એક્શન લઈ શકે છે. સિદ્ધુ કેપ્ટન અમરિંદર સિંહ અને ચરણજીત ચન્નીથી લઈને સુખજિંદર રંધાવા, સુનીલ જાખડ અને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ સુધી દરેકને લઈને નિવેદનો આપે છે.