શું નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) નો કોંગ્રેસથી મોહભંગ થઇ ચૂક્યો છે. સિદ્ધુ લાંબા સમયથી રાજકીય અજ્ઞાતવાસમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પંજાબ વિધાનસભા સહિત કોઇ જાહેર મંચ પર પણ દેખાયા નથી. તેઓએ જુલાઇ 2019માં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ તરફથી પોતાનો વિભાગ બદલાયા બાદ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. લાંબા સમય બાદ સિદ્ધુ એક આલબમ રિલીઝ માટે જાહેર મંચ પર નજર આવ્યા તો ફરી ચર્ચાનો વિષય બન્યા છે.
નવજોત સિંહ સિદ્ધુ લાંબા સમયથી રાજકીય અજ્ઞાતવાસમાં ચાલી રહ્યા હતા
જુલાઇ 2019માં સિદ્ધુએ પોતાનો વિભાગ બદલાયા બાદ કેબિનેટ મંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું
લાંબા સમય બાદ સિદ્ધુ એક આલબમ રિલીઝ માટે જાહેર મંચ પર નજર આવ્યા
ઓજલા સાથે વાતચીત અને બિક્રમ મજીઠિયાથી બનાવી રાખ્યું અંતર
નવજોત સિંહ સિદ્ધુ રવિવારે રાત્રે અમૃતસર નાટ્યશાળામાં પત્રકાર બરજિન્દર સિંહના આલબમના રિલીઝ સમારોહ દરમિયાન આયોજિત સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ શિરોમણિ અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજિઠિયા (Bikram Singh Majithia) સાથે મંચ શૅર કર્યું ત્યારથી અટકળોનું બજાર ગરમાયુ છે.
તેમની સાથે ફ્રન્ટલાઇનમાં ટકસાલી અકાલી નેતા અને પૂર્વ મંત્રી રણજીત સિંહ બ્રહ્મપુરા, અમૃતસરથી કોંગ્રેસ સાંસદ ગુરજીત ઓજલા અને પૂર્વ અકાલી મંત્રી બિક્રમ મજિઠિયા બેઠા હતા. આ દરમિયાન સિદ્ધુ ઓજલા સાથે વાતચીત કરતા નજરે પડ્યા. જોકે, તેઓએ મજિઠિયાથી અંતર જાળવી રાખ્યું હતું.
દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારથી દૂર રહ્યા
પંજાબના પૂર્વ મંત્રી સિદ્ધુએ મંચ પર ટકસાલી નેતા રણજીત સિંહ બ્રહ્મપુરા (Ranjit Singh Brahmpura) નું અભિવાદન કર્યું. સિદ્ધુનું આમ 8 મહીના બાદ અચાનક જાહેર મંચ પર નજરે પડવુ અને વિરોધી નેતાઓ સાથે મંચ શૅર કરવાથી પંજાની રાજનીતિમાં ક્યાસબાજી શરૂ થઇ ગઇ છે. તેઓએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં સ્ટાર કેમ્પેનર બનાવાયા બાદ પણ કોંગ્રેસ (Congress) માટે પ્રચાર નહોતો કર્યો.
અટકળોની વચ્ચે પોતાના પત્તા ખોલવાથી તૈયાર નથી સિદ્ધુ
તમામ અટકળોની વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પત્તા નથી ખોલ્યા. તેઓએ આ વિશે મીડિયા સાથે કોઇ વાતચીત નથી કરી. ત્યારે અનુમાન લગાવાઇ રહ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ફેરબદલ થવા પર તેમને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત પંજાબની જ એક પાર્ટીએ એલાન કર્યું છે કે જો સિદ્ધુ સાથે આવે છે તો તેઓ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદનો ચહેરો હશે. જોકે, નવજોત સિંહ સિદ્ધુ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી.