કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં જ બિહારના કટીહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર ચૂંટણી પંચે નોંધ લઇને નોટિસ ફટકારી છે.
દિલ્હી: કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં જ બિહારના કટીહારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર ચૂંટણી પંચે નોંધ લઇને નોટિસ ફટકારી છે.
Election Commission of India has issued a notice to Punjab Minister Navjot Singh Sidhu seeking an explanation within 24 hours for his remarks 'urging Muslims to not split votes,' made during a rally on 16 April in Katihar, Bihar. (File pic) pic.twitter.com/n2CT5VR3VO
ચૂંટણી પંચે સિદ્ધુને 24 કલાકમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. સિદ્ધુએ મુસ્લિમ સમુદાયને એકજૂટ થઇ કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી. જેના બાદ સિદ્ધુ પર આચાર સંહિતા ઉલ્લંઘનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કટીહારના બારસોઇ પોલીસ સ્ટેશનમાં મેજિસ્ટ્રેટ રાજીવ રંજનના નિવેદન પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. કટીહારમાં સિદ્ધુએ કહ્યું હતું કે મુસ્લિમ સમુદાય અહીં અલ્પસંખ્યક થઇને પણ બહુસંખ્યક છો, તમે જો એકત્રિત થશો તો તમારા ઉમેદવાર તારીક અનવરને કોઇ હરાવી શકશે નહીં.
હાલ ગુજરાતની મુલાકાતે છે સિદ્ધુ
કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે છે. ગુજરાતમાં સૌપ્રથમ તેઓએ વલસાડ લોકસભા મત વિસ્તારના કપરાડા તાલુકાના સુથારપાડામાં એક જંગી જાહેર સભા સંબોધી હતી.
સુથારપાડામાં સભામંચની બાજુમાં જ બનેલા હેલીપેડ પર સીધું હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચ્યા હતા. જ્યાં આદિવાસી સંસ્કૃતિ મુજબ સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સભા મંચ પરથી સિધુએ આગવી શૈલીમાં અનેક મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ઝાટકણી કાઢી હતી. મહત્વપૂર્ણ છે કે 2014માં સીધું ભાજપના સ્ટાર પ્રચારક હતા. પોતાની આગવી શૈલીમાં જોરશોરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આડે હાથ લેતા હતા.