ચંદીગઢના પંજાબ ભવનમાં નવજોત સિદ્ધૂ અને સીએમ ચરણજીત સિંહ ચન્ની વચ્ચે ચર્ચા ચાલી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સિદ્ધુની તમામ ફરિયાદ દૂર થઈ છે અને તેઓમાં ટૂંક સમયમાં મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. તેઓ તેમનું પ્રદેશાધ્યક્ષ તરીકેનું રાજીનામું પાછી ખેંચવાની જાહેરાત કરી શકે છે.
સીએમ ચન્નીએ 4 ઓક્ટોબર બોલાવી કેબિનેટની બેઠક
સિદ્ધૂ સાથેની બે કલાકની લાંબી બેઠક બાદ ખ્યમંત્રી ચન્નીએ 4 ઓક્ટોબરે કેબિનેટની બેઠક બોલાવી છે તેમા મોટી જાહેરાત થવાની સંભાવના છે.
સીએમ ચરણજીત સિંહ સાથે થઈ રહેલી બેઠકમાં સહમતિ બનતી દેખાઈ રહી છે
સીએમ ચરણજીત સિંહ સાથે થઈ રહેલી બેઠકમાં સહમતિ બનતી દેખાઈ રહી છે. હવે સમાધાનની ફોર્મ્યુલા પર ચર્ચાઈ થઈ રહી છે. મીટિંગમાં હાઈકમાન્ડના દૂત તરીકે કેન્દ્રીય પર્યવેક્ષક હરીશ ચોધરી પણ હાજર છે.
પંજાબ તરફથી સિદ્ધુના ખાસ પરગટ સિંહ, અમરિન્દર સિંહ રાા વડિંગ, ઈન્દરબીર બુલારિયા, વર્કિંગ પ્રધાન કુલજીત નાગરા, પવન ગોયલ તથા પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રધાન લાલ સિંહ પણ હાજર છે. આ દરમિયાન ખબર છે કે મુખ્યમંત્રી ચન્નીએ 4 ઓક્ટોબરે કેબિનેટની બેઠક બોલાવી છે. જોકે તેનો એજન્ડા જણાવાયો નથી.
Punjab: Navjot Singh Sidhu leaves his residence in Patiala
Sidhu, who resigned as Punjab Congress President, tweeted, "Chief Minister has invited me for talks … will reciprocate by reaching Punjab Bhawan, Chandigarh at 3:00 PM today." pic.twitter.com/pSKvDB6M5W
બેઠક બાદ થશે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
બેઠક બાદ સીએમ ચન્ની અને સિદ્ધૂ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં મોટી જાહેરાત થવાની સંભાવના છે. સિદ્ધુ પ્રદેશાધ્યક્ષ તરીકે પોતાનું રાજીનામું પાછું ખેંચે તેવી પણ સંભાવના છે.