આ બોલિવુડ એક્ટરનો દાવો છે કે હવે નવજોત સિંહ સિદ્ધુ ધ કપિલ શર્મા શોમાં વાપસી કરવાનાં છે. જાણો આ વિષે વિગતવાર
આ એક્ટરનો દાવો
સિદ્ધુની થશે કપિલ શર્મા શોમાં વાપસી
જાણો શું છે મામલો?
સિદ્ધુની થશે કપિલ શર્મા શોમાં વાપસી
કમાલ આર ખાન એટલે કે કેઆરકે પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ કોઈને કોઈ સેલેબ્રિટીની મજાક ઉડાવતા જ રહેતા હોય છે, પરંતુ હવે તેમણે નવજોત સિંહ સિદ્ધુ પર નિશાનો સાધ્યો છે. તેમણે સિદ્ધુને લઈને એક ટ્વીટ કર્યું છે જે ઘણું ચર્ચામાં છે. કેઆરકે કહે છે કે વિધાનસભામાં હારનો સામનો કર્યા બાદ હવે સિદ્ધુની કરિયર પૂરી થઇ ગઈ છે.
સિદ્ધુને લઈને ટ્વીટ
કેઆરકેએ નવજોત સિંહ સિદ્ધુને લઈને ટ્વીટમાં લખ્યું કે પલટીમાર નવજોત સિંહ સિદ્ધુને આપે હરાવ્યા છે તથા આ સાથે જ તેમની રાજનીતિક કરિયર પૂરી થઇ ગઈ છે. હવે નવજોત સિંહ સિદ્ધુને તમે 'ધ કપિલ શર્મા શો'માં જોઈ શકશો.
Paltimar #Sidhu has got defeated by #AAP candidate. And it’s end of Sidhu’s political career. Now you will be able to see him in #KapilSharmaShow!
લોકોએ કર્યા ટ્રોલ
કેઆરકેનાં આ ટ્વીટ પર યૂઝર્સ મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યૂઝર લખે છે કે હવે કપિલ શર્મા શોમાં પણ સીટ ખાલી નથી. બીજો લખે છે કે અર્ચનાજીની જોબ સંકટમાં છે. કોઈએ તો કેઆરકેને જ મોટા પલટીમાર કહી દીધા.
સિદ્ધુનાં હારવા પર ટ્રેન્ડ થવા લાગી અર્ચના
10 માર્ચના રોજ પંજાબ વિધાનસભા ઈલેક્શનનાં પરિણામો સામે આવ્યા, જેમાં નવજોત સિંહ સિદ્ધુ હારી ગયા છે, પરંતુ દિલચસ્પ વાત એ છે કે સોશિયલ મીડિયા પર અર્ચના પૂરન સિંહ ટ્રેન્ડ થવા લાગી છે. લોકોએ ટ્વીટર પર અર્ચના પર બનેલ મીમ્સ શેર કર્યા છે તથા કહ્યું છે કે હવે તેમની જોબ ખતરામાં છે. કેમકે સિદ્ધુ કપિલના શોમાં વાપસી કરશે અને આવામાં અર્ચનાએ શો છોડવો પડશે. 'ધ કપિલ શર્મા શો'માં અર્ચનાની સીટ પર પહેલા સિદ્ધુ બેસતા હતા પરંતુ પુલવામાં આતંકી હુમલાને લઈને કહેવામાં આવેલ વાત બાદ નવજોત સિંહ સિદ્ધુને કપિલનાં શોથી હટાવાયા હતા. ત્યારે શોમાં તેમની જગ્યા અર્ચના પૂરન સિંહે લીધી હતી.