પંજાબ સરકારમાં મંત્રી નવજોતશસહ સિદ્ધૂને ત્રીસ વર્ષ જૂના રોડ રેજ કેસમાં મોટો ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટ સિદ્ધૂને ફટકારવામાં આવેલી સજા પર ફેરવિચારણા કરવા માટે સહમત થઈ છે. સુપ્રીમ કોર્ટે સિદ્ધૂને નોટિસ જાહેર કરી જવાબ માગ્યો છે.
સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એ આદેશને રદ કર્યો હતો. જેમાં તેઓને અજાણતાથી થયેલી હત્યાના ગુનેગાર માનવામાં આવ્યા હતા. તો એ કેસમાં સિદ્ધૂને ત્રણ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી.
ત્યારે મૃતકના પરિવારજન દ્વારા દાખલ કરવામાં આવેલી એક અપીલ પર સુપ્રીમ કોર્ટ ફેરવિચારણા માટે તૈયાર થઈ છે. આ 30 વર્ષ જૂના કેસમાં વાત એમ છે કે 27 ડિસેમ્બર 1988ના રોજ પટિયાલામાં રોડ પર એક 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે વિવાદ થતા સિદ્ધૂ ભડક્યા હતા અને મુક્કો માર્યો હતો. મુક્કો મારતા ગુરનામસિંહનું મોત થયું હતું.