અટારી: પૂર્વ પાક ક્રિકેટર ઇમરાન ખાન શનિવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ઇમરાન ખાન પાસેથી ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ એમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિદ્ધૂ શુક્રવારે પાકિસ્તાન પહોંચી ગયા. પાકિસ્તાન રવાના થવા માટે સિદ્ધૂ શુક્રવારે અટારી વાઘા બોર્ડર પહોંચ્યા જ્યાં મીડિયા સાથે વાતચીત કરતાં એમને કહ્યું કે એ એક સદભાવના દૂતના રૂપમાં પાકિસ્તાન જઇ રહ્યા છે જેનાથી બંને દેશોની વચ્ચે સંબંધોમાં સુધારો આવશે.
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું 'હું એક સદ્ભાવના દૂતના રૂપમાં પાકિસ્તાન જઇ રહ્યો છું. હું એવી આશા સાથે ત્યાં જઇ રહ્યો છું કે અમારા બંને દેશોની વચ્ચે સંબંધોમાં સુધારો આવશે.' જણાવી દઇએ કે પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂની સાથે પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂની સાથે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવાસ્કર અને કપિલ દેવને પણ ઇમરાન ખાનની શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાનો ઔપચારિક આમંત્રણ મળ્યું છે.
બીજી બાજુ પાકિસ્તાન પહોંચ્યા બાદ પાક મીડિયા સાથે વાતચીત કરતાં નવજાત સિંહ સિદ્ધૂએ કહ્યું 'હું રાજકીય વ્યક્તિના રૂપમાં અહીંયા આવ્યો નથી. હું પ્રેમ શાંતિ અને ખુશીની સદભાવના દૂત બનીને મારા મિત્ર સાથે આવ્યો છું.'
પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા જઇ રહેલા ઇમરાન ખાન માટે ભારતથી નવજોત સિદ્ધૂ એક ખાસ ભેટ પણ લઇને પહોંચ્યા છે. ઇમરાન માટે ભેટના પ્રશ્ન પર સિદ્ધૂએ કહ્યું કે 'હું ઇમરાન માટે એક કાશ્મીરી શાલ લઇને આવ્યો છું જે પ્રેમનું પ્રતીક છે.'