પાકિસ્તાનમાં ઇમરાન ખાનની તાજપોશીમાં શામેલ થવા માટે નવજોત સિંહ સિદ્ઘુએ વીઝા માટે અરજી કરી છે. આ નિર્ણય હવે ભારત સરકારને લેવાનો છે કે શપથ ગ્રહણ સમારોહમાં જવા દેવા જોઇએ કે નહીં.
આ સંબંધમાં સિદ્ઘુએ સોમવારના દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચ આયોગમાં ગયા અને તેમની યાત્રાને લઇને કેટલીક ઔપચારિકતાઓ પૂરી કરી. તેમણે કહ્યુ કે ''મેં સરકાર પાસેથી મંજૂરી લેવા માટે અરજી કરી છે હવે તમામ વાત ભારત સરકારની મંજૂરી પર નિર્ભર કરે છે.''
પાકિસ્તાનમાં ક્રિકેટરથી નેતા બનેલા ઇમરાન ખાન 18 ઓગ્સ્ટના પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઇ રહ્યા છે અને આ ખાસ દિવસ માટે તેમણે કેટલાક દિગ્ગજ લોકો સહિત ભારતના પૂર્વ ક્રિકટરો (સુનીલ ગાવસ્કર કપિલ દેવ અને નવજોત સિંહ સિદ્ઘુ) અને આમિર ખાનને આમંત્રણ આપ્યું છે. જોકે ગાવસ્કરે પોતાના બિઝી શેડ્યૂલના કારણે શપથ સમારોહમાં ના શામેલ થવાની વાત કહી છે.
સુનીલ ગાવસ્કરે જણાવ્યુ કે ''પોતાની કમેન્ટ્રીના બિઝી શેડ્યૂલના કારણે તેઓ શપથ સમારોહમાં શામેલ નહી થઇ શકે. જોકે ભવિષ્યમાં તેમણે મળવાની આશા છે.''
ઇમરાન ખાને 1983માં વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાના કેપ્ટન કપિલ દેવ અને નવજોત સિંહ સિદ્ઘુને આમંત્રણ આપ્યુ છે જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ગત 25 જૂલાઇના થયેલી ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટી PTI સૌથી મોટા દળ તરીકે ઉપર આવી જેમાં 116 સીટ મળી. જેમાં નવ નિર્દલીય સભ્યો શામેલ થયા પછી સંખ્યા વધીને 125 થઇ ગઇ.