પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની શપથવિધીમાં પહોંચેલા નવજોતસિંહ સિદ્ધૂને હાલ આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાન ખાનની શપથવિધીમાં નવજોત સિંહ સિદ્ધૂ પાકિસ્તાન આર્મી ચીફ બાજવાને ગળે મળતા મામલો વધુ ગરમાયો હતો. રાજકીય વર્તુળોમાં પણ તેમની લોકોએ નિંદા કરી હતી. ત્યારે આજે નવજોતસિંહ સિદ્ધૂએ એક પ્રેસ પરિષદ યોજીને આ બાબતે ખુલાસો કર્યો હતો.
બાજવાને ગળે મામલે ખુલાસો કરતા નવજોતસિંહ સિદ્ધૂએ જણાવ્યું કે મારી આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નહોતી. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયી પણ પાકિસ્તાનની મુલાકાત લઈ ચૂક્યા છે. પીએમ મોદી પણ કોઈ પણ જાતના આમંત્રણ વગર નવાજ શરીફના પરિવારીક સમારોહમાં સામેલ રહ્યા હતા.
In the past also efforts for peace have been made the late Vajpayee ji had taken 'dosti bus' to Lahore invited Musharraf. PM Modi invited Nawaz Sharif to oath-taking he also went suddenly to Lahore: Navjot Singh Sidhu pic.twitter.com/4UyVKDdwDf
બાજવાને ગળે મળવાની વાત અંગે તેમણે જણાવ્યું કે મને પેહલી રો માં બેસલો જોઈ બાજવા પહેલાં ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા હતા. પરંતુ બાદ મને કહ્યું કે ગુરૂનાનાક સાહેબના 500માં પ્રકાશન દિવસે ભારતના ડેરા બાબા નામથી પાકિસ્તાનથી અઢી કિ.મી. દૂર કતારપુર સાહબના દર્શન માટે શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની રોકટોક વગર રસ્તો આપવાના પ્રયાસ ચાલી રહ્યા છીએ.
બાજવાએ વધુમાં જણાવેલ કે અમે પણ શાંતિ ઈચ્છીએ છીએ. બસ બાજવાની આ વાતોથી હું ભાવુક બની ગયો. બાજવા સાથે મારી કોઈ મુલાકાત થઈ નથી. બસ કદાચ એક કે બે મિનીટની મુલાકાત થઈ હશે. પરંતુ મારા પર લાગેલા આરોપથી મને દુઃખ કે અને પસ્તાવો પણ નથી.