રાયપુરઃ પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાને લઇને આલોચના સહી ચૂકેલા સિદ્ધુએ કહ્યું કે જેનું નામ
છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચારમાં ગયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા નવોજોતસિંહ સિધ્ધુએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. સિદ્ધુએ જણાવ્યું હતું કે મોદી સરકાર માત્ર આમીરોની જ સરકાર છે. અમીરોના ઈશારે જ મોદી સરકાર કામ કરી રહી છે. દેશમાં મજૂર ખેડૂતો અને સામાન્ય નાગરીકોના હક છીનવીને અમીરોના ખિસ્સા ભરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મોટા મોટા વાયદાઓ કરીને સત્તામાં આવેલી સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે.
નોટબંધી પર પ્રહાર કરતા સિદ્ધુએ જણાવ્યું હતું કે નોટબંધી સદંતર નિષ્ફળ ગઈ છે. વિદેશોમાં જે પણ દેશમાં નોટબંધી થઈ છે. ત્યાં મોટી નોટો બંધ કરીને ઓછા ચલણની નોટો છાપવામાં આવી છે. ભારતમાં મોદી સરકારે તો 500 અને 1000ની નોટબંધી કરીને 2000ની નોટ શરૂ કરી છે.
2014માં મોદી લહેર હતી પરંતુ સાડા ચાર વર્ષ સુધી તેમણે જનતાની વિરુદ્ધમાં એવા કામો કર્યા છે કે આ મોદી લહેર હવે ઝેર બની ગઈ છે. આ ઉપરાંત સિદ્ધુએ રાફેલ ડીલને લઈને પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
તો સિદ્ધુના પ્રહારોનો જવાબ આપતા ભાજપના નેતા જીવીએલ નરસિંહા રાવે જણાવ્યું હતું કે સિદ્ધુએ રાજનીતિને ગંભીરતાથી લેવી જોઈએ. તેઓ ભાજપમાં હતા ત્યારે રાહુલ ગાંધી વિરુધ્ધ ટિપ્પણીઓ કરી હતી. પરંતુ અત્યારે કોંગ્રેસમાં જઈને સરકાર સામે બોલી રહ્યા છે.