અમદાવાદમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. નવજીવન કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડોની ઠગાઇ કરવામાં આવી છે. ઇસનપુરમાં રૂ.1.30 કરોડનું કૌભાંડ પકડાયું છે. ઊંચા વ્યાજની લાલચ આપી અને પૈસા પડાવી લેતા 2 શખ્સ ગીરધરસિંઘ સોઢા અને પવનકુમાર જોશીને પોલીસે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ કોરોડોનુ કૌભાંડ સામે આવ્યુ
નવજીવન કો-ઓપરેટિવ સોસાયટીના નામે કૌભાંડ
ઈસનપુરમાં 1.20 કરોડનું કૌભાંડ
300 કરોડનું કૌભાંડ
2014થી ક્રેડિટ સોસાયટી ચાલી રહી હતી. પોલીસે ક્રેડિટ સોસાયટીના એમડી અને એડમિન મેનેજરની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે રાજસ્થાન, ખેડા, નડિયાદ, હિંમતનગરમાં બ્રાંચ છે અને અંદાજે 300 કરોડનું કૌભાંડ રાજસ્થાન અને ગુજરાતમાં આચર્યું છે. હાલ આ શખ્સોની વધુ પૂછપરછ કરવામાં આવ્યું છે.
કેવી રીતે આચર્યું કૌભાડ?
ક્રેડિટ સોસાયટી બનાવી અને લોકોને છેતર્યા છે. લોકોને બેંકો કરતા ઉંચા વ્યાજ આપવાની લાલચ આપતા હતા. 200થી 250 જેટલા સભ્યો છે. અમદાવાદ 1.20 લાખનું કૌભાંડ આચર્યું છે. રાજસ્થાન, ખેડા, નડિયાદ, હિંમતનગરમાં બ્રાંચ છે. 300 કરોડનું કૌભાંડ રાજસ્થાન અને ગુજરાતમાં આચર્યું છે.
પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
2014 થી ક્રેડિટ સોસાયટી ચાલી રહી હતી. ક્રેડિટ સોસાયટીના MD અને એડમીન મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ગીરધરસિંગ સોઢા અને પવનકુમાર જોશીની ધરપકડ થઈ છે.