દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની ઘણી કંપનીઓ વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હવે અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ પણ વેચાવાની તૈયારીમાં છે.
રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ વેચાવાની તૈયારીમાં
રિલાયન્સ નેવલ પર 11,0000 કરોડનું દેવું
જેએસપીએલ જૂથ રિલાયન્સ નેવલને ખરીદી તેવી શક્યતા
નવીન જિંદાલ કંપની ખરીદવાની રેસમાં
રિપોર્ટ અનુસાર, અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડને ખરીદવાની રેસમાં નવીન જિંદાલની માલિકીવાળા જેએસપીએલ જૂથ પણ છે. તમને જણાવી દઈએ કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઋણદાતાઓને કંપનીની રીઝોલ્યુશન પ્રક્રિયાને પૂરી કરવા માટે વધારે પાંચ મહિનાનો સમય આપ્યો છે.
અનિલ અંબાણીની આ કંપની પર રુપિયા 11,0000 કરોડનું દેવું છે. રશિયન સરકારની માલિકીની યુનાઈટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશન અને યુએસ આધારિત ફંડ, ઈન્ટરઅપ પણ સામેલ છે.
કોણ છે નવીન જિંદાલ
પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નવીન જિંદાલ દેશના મોટા કારોબારી ઘરાનામાં સામેલ છે. નવીનની માતાનું નામ સાવિત્રી જિંદાલ છે. સાવિત્રી જિંદાલ દુનિયાના ટોચના અબજોપતિમાં સામેલ છે. બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સના જણાવ્યાનુસાર સાવિત્રી જિંદાલની સંપત્તિ 8.22 બિલિયન ડોલર છે. તેઓ અબજોપતિની યાદીમાં 302 માં સ્થાને છે.