નવરાત્રી વેકેશનને લઇને એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં કેટલાંક વિદ્યાર્થીઓ માટે દુઃખદ સમાચાર છે. ઉપરાંત રિ-ટેસ્ટને લઇને પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ નવરાત્રી વેકેશનને લઇને નવરાત્રી રસીક વિદ્યાર્થીઓ માટે એક દુઃખનાં સમાચાર આવ્યાં છે. જેમાં નવરાત્રી વેકેશનને લઇને એક મહત્વનો નિર્ણય લેવાયો છે. પ્રાથમિક અને માધ્યમિકનાં વિદ્યાર્થીઓને લઇને બોર્ડની શૈક્ષણિક સમિતીએ મોટો નિર્ણય કર્યો છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિકનાં વિદ્યાર્થીઓને લઇને નવરાત્રી વેકેશન રદ કરવામાં આવ્યું છે. ઉપરાંત ધોરણ 9 અને 11ની રિ-ટેસ્ટ પણ ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 24, 2019
બોર્ડની શૈક્ષણિક સમિતીમાં નવરાત્રી વેકેશનને લઇને નિર્ણય કરાયો છે. પરીક્ષા સમિતીની બેઠકમાં સર્વાનુમતે વેકેશનનો નિર્ણય લેવાયો છે. આજની પરીક્ષા સમિતીની બેઠકમાં આ અંગે સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે ગયા વર્ષની 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશનની જાહેરાત કરાઇ હતી. 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબરનું મિનિ વેકેશન જાહેર કરાયું હતું. એટલે કે 7 દિવસ સુધી નવરાત્રિનું વેકેશન જાહેર કરાયું હતું. ત્યારે લોકોએ તે નિર્ણયનો આવકાર કર્યો હતો. ત્યારે આ વખતે આ નવરાત્રી વેકેશનને લઇને રાજ્ય સરકારની બોર્ડની શૈક્ષણિક સમિતીએ મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે પ્રાથમિક અને માધ્યમિકનાં વિદ્યાર્થીઓને લઇને નવરાત્રી વેકેશન રદ કરવામાં આવ્યું છે.