પાકિસ્તાન સરકારે 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી છે અને પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વસનમાં મદદ માટે દાનની માંગ કરી
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂર સંકટ, 1000થી વધારે લોકોના મોત
વર્તમાન સ્થિતિને જોતાં પાકિસ્તાન સરકારે 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી
વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત
ભારતના પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. જેને લઈ હવે પાકિસ્તાન સરકારે 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી છે અને પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વસનમાં મદદ માટે દાનની માંગ કરી છે. દેશમાં વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર બન્યા છે.
એક અહેવાલ મુજબ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમની યુનાઇટેડ કિંગડમની મુલાકાત રદ કરી છે અને તેઓ કતારથી પાછા આવ્યા પછી પૂર રાહત પ્રવૃત્તિઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. ગુરુવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી. મંત્રીએ કહ્યું કે, બલૂચિસ્તાન અને સિંધમાં પૂરને કારણે થયેલી તબાહીનો સામનો કરવા માટે રાષ્ટ્રીય ભાવનાની જરૂર છે.
The destruction caused by #floods in Swat will open a vacuum for the Tehreek e Taliban Pakistan which is already active in the area.
Where the state fails, such groups capitalise on the situation, starting with #floodrelief efforts but ending with something far more sinister. pic.twitter.com/oT6knJWNCK
એક અહેવાલ મુજબ તેમણે વિદેશી પાકિસ્તાની સહિત દેશને પૂર પીડિતોના પુનર્વસન માટે દાન આપવા અપીલ કરી હતી. કારણ કે, વિશાળ વિનાશને ધ્યાનમાં રાખીને મોટી રકમની જરૂર પડશે. બે દિવસની સત્તાવાર મુલાકાતે કતારમાં રહેલા શાહબાઝ શરીફ દેશમાં પૂરની સ્થિતિને જોતા દેશ પરત ફરી રહ્યા છે. મહત્વનું છે કે. દેશમાં વરસાદના કારણે આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકો બેઘર બન્યા છે.
PM taking briefing from Chairman NDMA on rescue and relief activities in Sukkur pic.twitter.com/TSoRTBOCbs
આ તરફ વર્તમાન સ્થિતિને જોતાં વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમનો બ્રિટનનો પ્રવાસ રદ કર્યો છે. કતારથી પરત આવતાની સાથે જ પર શરીફ એક બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ સંબંધિત અધિકારીઓ તેમને પૂર પ્રભાવિતોના બચાવ અને રાહત માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપશે.