કબજિયાતથી છુટકારો મેળવવા માટે ચા, કોફી, સિગરેટની જગ્યાએ 3 ઉપાય અપનાવો આ નેચરલ પદ્ધતિ વિશે....
પેટને સાફ કરવા માટે ચા, કોફી, સિગરેટ, તમાકુ, બીડી વગેરેનું સેવન કરે છે
મળાસનમાં બેસીને હુંફાળા પાણીનું સેવન કરો
દરોરોજ જમ્યા બાદ 2થી 5 મિનિટ સુધી કરો વજ્રાસન
ખરાબ જીવનશૈલી અને ખાનપાનના કારણે કબજિયાતની સમસ્યા થવી બહુ સામાન્ય છે. કેમાં પાચન અને આંતરડાનું કામ કાજ બગડે છે અને પેટ વ્યવસ્થિત રીતે સાફ થતુ નથી. તમને જાણીને નવાઇ લાગશે કે લાંબા સમય સુધી ચાલનાર કબજિયાતથી પાઇલ્સ અને ફિશરનો ખતરો વધી જાય છે.
ઘણા લોકો પેટને સાફ કરવા માટે ચા, કોફી, સિગરેટ, તમાકુ, બીડી વગેરેનું સેવન કરે છે. જે અમુક સમય સુધી જ કામ કરે છે, પરંતુ થોડા સમય બાદ તે બેઅસર બની જાય છે. તે સાથે જ આ રોગોને વધારે ગંભીર બનાવે છે. તો જાણો કેવી રીતે આ વસ્તુઓ કરે છે અસર
ચા-સિગરેટ કેવી રીતે કરે છે અસર?
ચા-કોફીમાં કેફીન હોય છે, જે લેક્સટિવની રીતે કામ કરે છે. આ તમારા આતરડાંમાં સંકોટન શરુ કરે છે અને પેટ સાફ કરવામાં મદદ કરે છે. બીજી તરફ સિગરેટ-બીડીથી પેટમાં ગેસ બને છે. જે ખોટી રીતે મળને નીચે તરફ ધકેલવામાં જોર આપે છે.
ઉષાપાન છે કબજિયાતનો ઉપાય
આર્યુવેદ કબજિયાતનો ઇલાજ કરવા અને પાચનને સારુ બનાવવા માટે ઉષાપાનની સલાહ આપે છે. તેમાં તમને મળાસન(મળ કરવા બેસીએ તે મુદ્રા)માં બેસીને હુંફાળા પાણીનું સેવન કરવાનું હોય છે. આ બંને વસ્તુ પાચનને તેજ બનાવવામાં અને આંતરડામાં સંકુચન લાવવામાં મદદ કરે છે.
અગ્રિસાર ક્રિયા
અગ્નિસાર ક્રિયાને અગ્નિસાર પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. તેને સવારના સમયે ખાલી પેટ કરવુ જોઇએ. આ આસન કરવાથી પાચન શક્તિ વધવામાં મદદ મળે છે અને ધીરે ધીરે કબજિયાત ખતમ થઇ જાય છે.
વજ્રાસનના ફાયદા
પેટ માટે વજ્રાસન ખૂબ જ ફાયદામંદ છે, જે પાચનને ઝડપી બનાવે છે. તમે આનો અભ્યાસ દરોરોજ જમ્યા બાદ 2થી 5 મિનિટ સુધી કરો. તમે આ મુદ્રામાં બેસીને જમવા પણ બેસી શકો છો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.