દરેકે ઘરમાં આ 5 વસ્તુઓ અવશ્ય રાખવી. તમારી તકલીફોમાં ઝડપથી કરશે અસર અને સારું થઈ જશે.
ઘરમાં જરૂરથી રાખો આ 5 વસ્તુઓ
દેશી દવાનું કામ કરે છે આ વસ્તુઓ
હેલ્ધી રહેવા આ વસ્તુઓનો કરો ઉપયોગ
સિઝન બદલાતા ઘણાં પ્રકારની બીમારીઓ ઘેરી લેતી હોય છે. એવામાં દર વખતે એન્ટીબાયોટિક્સ ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. રોજિંદા જીવનની નાની-મોટી સમસ્યાઓમાં દવાઓ ખાવા કરતાં અહીં જણાવેલી 5 વસ્તુઓનું સેવન કરો. આ વસ્તુઓ ખાવાથી બીમારીઓ થતી નથી. તો જાણી લો ફાયદા.
સાકર
દરેકે ઘરમાં સાકર રાખવી જોઈએ. જમ્યા બાદ ઘણાં લોકો વરિયાળી અને સાકર ખાય છે. બહુ ઓછાં લોકો જાણે છે કે સાકર આપણાં સ્વાસ્થ્ય માટે કેટલી ગુણકારી છે. તેનું સેવન કફ અને ખાંસીની સમસ્યા દૂર કરે છે. સાથે જ ગળાના દર્દમાં પણ તે લાભકારી છે. દિવસમાં બેવાર તેનું સેવન કરી શકો છો. તમે રસાકરવાળું દૂધ પણ પી શકો છો.
વરિયાળી
ઉનાળામાં સૌથી પહેલી અસર પાચન પર પડે છે. જમ્યા બાદ થોડી વરિયાળી ખાવાથી પેટ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. વરિયાળી એસિડિટી અને અપચાની સમસ્યા દૂર કરવામાં પણ મદદ કરે છે.
કપૂર
ઘણાં લોકોને સાંધાનો દુખાવો ખૂબ જ વધી જાય છે. એવામાં કપૂર બહુ જ કામ આવી શકે છે. નારિયેળ તેલમાં કપૂર ઓગાળી તેને નવશેકું ગરમ કરી સાંધા પર મસાજ કરવાથી સાંધાનો દુખાવો અને સોજામાં આરામ મળે છે.
એલોવેરા
ઠંડા અને સૂકા પવનને કારણે સ્કિન એકદમ ડ્રાય અને બેજાન થઈ જાય છે અને ખુજલી પણ આવે છે. આ સમસ્યા માટે એલોવેરા જેલમાં વિટામિન ઈની ટેબ્લેટ મિક્સ કરીને સ્કિન પર લગાવો. તેની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ઈન્ફેક્શનથી પણ બચાવશે.
નીલગિરીનું તેલ
નીલગિરીનું તેલ નાક બંધ થવા સમસ્યામાં લાભકારી છો. પાણીને ઉકાળી તેમાં 2-3 ટીપાં નીલગિરી તેલ નાખી દો. પછી તેનાથી સ્ટીમ લેવાથી કફ, શરદી અને બંધ નાકની સમસ્યા દૂર થાય છે.