આજની બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે કબજીયાતની તકલીફ દર ત્રીજા વ્યક્તિમાં દેખાય છે. કબજીયાત એ ખરાબ પાચનતંત્રની નિશાની છે.
કબજીયાતની સમસ્યાથી પરેશાન છો?
ઘરેલૂ ઉપચારથી થશે ફાયદો
ડાયેટમાં ફાઇબરની માત્રા ઉમેરો
જંકફૂડના કારણે ખાસ કરીને કબજીયાતની સમસ્યા સર્જાતી હોય છે. આગળ જઇને આ સમસ્યા મેજર બને તો ગંભીર રોગોને આમંત્રણ આપે છે. જે લોકોના ડાયેટમાં ફાઇબરની કમી હોય છે તે લોકોને આ પ્રકારની સમસ્યા થાય છે.
પ્રોસેસ્ડ અને જંકફૂડ
કબજીયાતથી પરેશાન લોકો માટે પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ દુશ્મન સમાન છે. તેમાં ખાંડ અને સોડિયમ વધારે માત્રામાં હોય છે. માટે જંકફૂડથી અંતર બનાવવુ જોઇએ જેનાથી તમારી કબજીયાતની સમસ્યામાં રાહત થશે.
જમીને તરત સુઇ જવુ
જો તમને એવી આદત છે કે રાતનુ જમણ કરીને તરત જ સૂઇ જાઓ છો તો આ આદત તમારી કબજીયાતની સમસ્યા બની શકે છે. જમીને હંમેશા વજ્રાસનમાં બેસવુ જોઇએ અથવા તો લટાર મારવાની આદત રાખો.
ફાઇબરની કમી
ઘણીવાર આપણે જે ડાયેટ લઇએ છીએ તે આપણી હેલ્થને અનુકુળ નથી હોતુ. જેનાથી તમને કબજીયાતની સમસ્યા થઇ શકે છે. પોતાના ડાયટમાં હંમેશા ફાઇબરવાળી વસ્તુઓ રાખવી જોઇએ.
કબજીયાત દૂર કરવાના ઉપાય
ગરમ પાણીમાં લીંબુ અને કેસ્ટર ઓઇલ પીવાથી કબજીયાતમાં રાહત મળે છે.