27 ઓગસ્ટ 2018થી મંગળ માર્ગી થવા જઇ રહ્યા છે. જ્યોતિષ ગણના અનુસાર ગ્રહની બે પ્રકારની ચાલ હોય છે એક વ્રકી અને બીજી માર્ગી. જ્યોતિષમાં મંગળને ઉગ્ર સ્વભાવનો ગ્રહ માનવામાં આવે છે પરંતુ જે જાતકની કુંડળીમાં આ શુભ સ્થાન પર બેસે એને ખૂબ લાભ કરે છે. મંગળને ક્રૂર ગ્રહ માનવામાં આવ્યો છે. મંગળ ગ્રહ ઊર્જા શક્તિ અને પરાક્રમનો કારક છે. આ ઉપરાંત એ રક્તપાત અને લોહીથી સંબંધિત બિમારીઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. કર્ક અને સિંહ રાશિ માટે મંગળ એક યોગકારક ગ્રહ છે તેમજ મેષ અને વૃશ્ચિક રાશીનો સ્વામી ગ્રહ છે. મંગળ સાહસ અને સંકલ્પ શક્તિને પમ દર્શાવે છે. મંગળ ગ્રહ 27 ઓગસ્ટ સાંજે 7 વાગ્યેને 36 મિનીટ પર મકર રાશીમાં માર્ગી થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે મંગળનું માર્ગી થવાના કારણે છેલ્લા 62 દિવસથી જે કુદરતી આપત્તિઓ આગ વાદ-વિવાદ અને પૂર જેવી સમસ્યાઓ પેદા થઇ હતી એનાથી મુક્તિ મળવાની છે.
27 ઓગસ્ટથી મંગળ શુભ ફળ આપવાનો છે. જેનાથી વેપાર ભૂમિ અચલ સંપત્તિ જેવા કાર્યોમાં ભારે લાભ મળશે. મંગળ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મકગરમાં ગોચર કરશે જેના કારણે ઘણા લોકોને રાહત મળનારી છે. રાશિ અનુસાર મંગળનું માર્ગી થવા પર કેવી અસર પડશે ચલો જાણીએ.
જ્યોતિષ અનુસાર ગ્રહોની ચાલની અસર દરેક રાશિઓ પર જોવા મળે છે. પ્રભાવ સારો પણ પડે છે અને ખરાબ પણ પડે છે. સારા અને ખરાબ પ્રભાવની સ્થિતિ પ્રત્યેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો ગ્રહ અનુકૂળ દિશામાં ચાલી રહ્યો હોય તો લાભ આપશે પરંતુ એ પ્રતિકૂળ થઇ ગયો તો જીવન બરબાદ કરી શકે છે. જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહને ઉગ્ર સ્વભાવનો ગ્રહ માનવામાં આવે છે. મંગળનું મકર રાશિમાં સીધી ચાલથી તમામ 12 રાશિઓ પર એનો પ્રભાવ પડશે. જેમાંથી 5 રાશિઓ મેષ મિથુન કન્યા વૃશ્ચિક અને મીન રાશિ પર એનો પ્રભાવ સૌથી વધારે પડશે.