21 જુને સૂર્યગ્રહણ હતું. આ ગ્રહણ માનવજાત માટે ઘટક સાબિત થઇ શકે છે. કંકણાકૃતિ મહાચુડામણી સૂર્યગ્રહણ સાથોસાથ એજ સમયે છ ગ્રહો, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુનું આકાશમાં વકરી હોવું તે આપત્તિનું કારણ બની શકે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઈપણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઈ હોવાના ઘણા પુરાવા છે. અગાઉ આવું શું બની ચૂક્યું છે જાણો...
21 જૂન સૂર્ય ગ્રહણ
શું ગ્રહણની આડઅસર થશે?
ભૂતકાળમાં બની હતી આ ઘટના
21 જૂન એક મોટો સંયોગ. આ દિવસે સદીનું સૌથી મોટુ સૂર્યગ્રહણ થયુ. આ સૂર્યગ્રહણ માનવ જાત માટે ભારે હોવાનું જ્યોતિષો માની રહ્યા છે. જ્યોતિષોના કહેવા પ્રમાણે સૂર્યગ્રહણની સીધી અસર સમગ્ર જગત પર પડે છે. સૂર્યગ્રહણ પહેલાના 12 કલાકથી ગ્રહણની અસર શરૂ થઈ જાય છે અને તેની ગાઢ અસર લગભગ ૪૦ દિવસ અને ક્યારેક 6 મહિના સુધી દેખાતી હોય છે.
કચ્છના ભૂકંપ પહેલા હતું સૂર્ય ગ્રહણ
સૂર્યગ્રહણ અને આફતને જૂનો સંબંધ છે. ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ બની છે જેના આસપાસના સમયગાળામાં સૂર્યગ્રહણ થયું હોય. જેમાં ગુજરાતની આ સદીની સૌથી મોટી દુર્ઘટના એટલે કચ્છનો ભૂંકપ પણ સામેલ છે. 26 જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં ભૂકંપ આવ્યો. કચ્છના આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કચ્છની ધરા તહેસનહેર થઈ ગઈ. કચ્છની આ ભયાવહ ઘટનાના બરાબર 30 દિવસ પહેલા 25 ડિસેમ્બરના દિવસે મોટું સૂર્યગ્રહણ હતું. જ્યોતિષોના મતે ગ્રહણ બાદ તેની આ આડઅસર હતી.
ભૂતકાળની ઘટનાઓ જોઈએ
- ગુજરાતના ભૂંકપ ઉપરાંત 2013માં કેદારનાથમાં જે આભ ફાટવાની વિનાશક ઘટના બની તેના પહેલા સૂર્યગ્રહણ થયું હતું. 16 જૂન 2013ની આ ભયાનક ઘટનામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. ચારે કોર જળબંબાકાર થયો હતો. આ ઘટનાના એક મહિના પહેલા પણ 10 મે 2013ના રોજ સૂર્ય ગ્રહણ થયું હતું.
- 25 એપ્રિલ 2015ના દિવસે નેપાળમાં ભૂકંપ આવ્યો. નેપાળના આ ભૂકંપમાં 9000 જેટલા લોકોના મોત થયા. 22 હજાર લોકો ઇજાગ્રસ્ત થયા અને 35 લાખ લોકો ઘરવિહોણા થયા. નાનકડા દેશ નેપાળની કમર તોડી નાખનાર આ ઘટનાના એક મહિના પહેલા ૨0મી માર્ચ 2015ના રોજ પણ સૂર્ય ગ્રહણ થયું હતું.
- 16 ઓગસ્ટ 2018ના રોજ કેરળમાં સદીનો સૌથી મોટી હોનારત થઈ. 450થી વધુ લોકોના મોત થયા. લાખો લોકો ઘર વિહોણા થયા અને રાજ્યને અંદાજે 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું. આ ઘટનાના 5 દિવસ પહેલા 11 ઓગસ્ટ 2018 ના રોજ સૂર્ય ગ્રહણ થયું હતું.
- છેલ્લે 26 ડિસેમ્બર 2019ના રોજ ધન રાશિમાં સાત ગ્રહોના યોગ સાથે સૂર્ય ગ્રહણ થયું હતું. તેના 5 દિવસ બાદ જ કોરોનાની મહામારીની શરૂઆત થઈ. છેલ્લા છ મહિનાથી આ મહામારીએ આખી દુનિયાને હચમચાવી નાખી.
સૂર્યગ્રહણ સાથે આફતોને સીધો સંબંધ હોવાનો કોઈ વિજ્ઞાનિક આધાર નથી મળ્યો
ભૂતકાળમાં સૂર્યગ્રહણ અને હોનારતોનો સંગોય રહી ચુક્યો છે. એવામાં આ સૂર્યગ્રહણ પણ નકારાત્મક ઘટના સર્જી શકે છે. જ્યોતિષોના મતે કુદરતી આપત્તિ જેવી કે અતિ વર્ષા, પૂરપ્રકોપ, હિમસ્ખલન, ધરતીકંપ, વાવાઝોડું વગેરે સર્જાઈ શકે છે. આ ઉપરાંત કોરોનાની મહામારીમાં પણ વધારો થઈ શકે છે. દેશમાં અન્ય આફત પણ આવી શકે છે. જ્યોતિષો પોતાની ગણતરી પ્રમાણે આ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, સૂર્યગ્રહણ સાથે આફતોને સીધો સંબંધ છે કે, નહી તેનો કોઈ વિજ્ઞાનિક આધાર નથી મળ્યો.