અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે. દિવસે ગરમી લાગે છે અને રાતે ઠંડી લાગે છે. ડબલ સીઝનમાં શરદી, ખાંસી, તાવ, કફ અને ઈન્ફેક્શનની સમસ્યા ખૂબ જ વધી જાય છે. જેની દવાઓ ખાવા છતાં તે જલ્દી ઠીક થતું નથી. જેથી જો તમારે દવાઓ ન ખાવી હોય તો રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓ ખાવાનું રાખો. આ વસ્તુઓ નેચરલ એન્ટીબાયોટિકનું કામ કરે છે અને તમારા શરીર અને સ્વાસ્થ્યનું માંદગી સામે રક્ષણ કરે છે. આ વસ્તુઓ ડાયટમાં ખાશો તો સીઝન બદલાતા થતી તકલીફો તમને અને તમારા બાળકને હેરાન નહીં કરે. તો ચાલો જાણી લો આ જબરદસ્ત વસ્તુઓ વિશે.
આ 5 વસ્તુઓ બધાંની ડાયટમાં સામેલ હોવી જ જોઈએ
સીઝનલ રોગોથી બચાવે છે આ વસ્તુઓ
ફાયદા જાણશો તો તમે પણ માની જશો
એન્ટીબાયોટિકનું કામ કરતા ફૂડ
લસણ
લસણમાં જબરદસ્ત એન્ટીબાયોટિક ગુણ હોય છે. લસણ ભોજનને ટોક્સિક બનાવનાર બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. લસણમાં રહેલું તત્વ એલિસિન તત્વ બેક્ટેરિયાને ખતમ કરી દે છે, જેથી નાની-નાની બીમારી થતી નથી.
હળદર
હળદર શરીર માટે જેટલી ફાયદાકારક છે એટલી જ સ્કિન માટે પણ છે. જેથી રોગો દૂર કરવાની સાથે સાથે તે સૌંદર્ય પણ વધારે છે. આર્થ્રાઈટિસ, હાર્ટ બર્ન, પેટના કૃમિ, પેટ દર્દ, માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ડિપ્રેશન, ફેફસામાં ઈન્ફેક્શન, બ્રોન્કાઈટિસ વગેરેમાં હળદરનો પ્રયોગ બેસ્ટ છે. આ સિવાય તે સોજાની સમસ્યાને પણ દૂર કરે છે.
કડવા લીમડાના પાન
આયુર્વેદ અનુસાર કડવા લીમડામાં એન્ટીબાયોટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીએલર્જી તત્વ હોય છે. જો તમને કોઈ એવી બીમારી હોય જેમાં નિયમિત એન્ટીબાયોટિક ખાવાની જરૂર પડે છે તો લીમડાનું સેવન કરવાથી તમારે દવાઓ નહીં ખાવી પડે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ તે એક અસરકારક ઔષધી છે. લીમડાના પાન ચાવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે અને ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. તે મલેરિયા સામે પણ રક્ષમ કરે છે અને લીવરને મજબૂત બનાવે છે.
તુલસી
તુલસીના પાનમાં પણ એન્ટીબાયોટિક ગુણ હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી થોડાં દિવસમાં જ ઈમ્યૂનિટી વધી જાય છે. ચામાં તેના પાન ઉકાળીને પીવાથી પણ ગળાની ખારાશ દૂર થાય છે. રોજ તુલસીના 4-5 પાન ખાવાથી પણ ઘણાં રોગો દૂર રહે છે. આયુર્વેદમાં તુલસીને પિત્તનાશક, વાતનાશક, પાંસળીઓના દર્દમાં, લોહીના વિકાર, કફ અને ફોડલી જેવી સમસ્યાઓના ઉપચારમાં ફાયદાકારક જણાવ્યું છે.
સરસિયાના બીજ
સરસિયામાં એન્ટીબાયોટિક ગુણ હોય છે. સરસોનું સાગ અને તેના બીજ શરીરની ઈમ્યૂનિટી વધે છે અને ઘણાં રોગો સામે રક્ષણ કરે છે. શિયાળામાં સરસિયાનું તેલ અને તેનાથી બીજનો પ્રયોગ ભોજનમાં કરવાથી બહુ જ ફાયદા મળે છે અને બોડીને ગરમાવો પણ મળે છે. શિયાળામાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો વધુ રહે છે.જેથી તેનું સેવન લાભકારી હોય છે.