ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, કોવિડ બાદ દુનિયામાં રાષ્ટ્રવાદનું વર્ચસ્વ હશે. તેમણે કહ્યું કે, ભારત અને ચીનનો હાલનો ઇતિહાસ કઠિન રહ્યો છે. બોર્ડર પર વિઘટન અને ડી-એસ્કેલેશન પ્રેક્ટિલ મુદ્દાઓમાંનો એક છે. જયશંકરે કહ્યું કે, ભારતીય અને ચીની નેતાઓએ વુહાન અને ચેન્નઈમાં અનૌપચારિક વાતચીત કરી છે. વાતચીત રણનીતિક ઇરાદાઓ પર આધારિત હતી. જયશંકરે વધુમાં કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે એક જટિલ સંબંધ હતો અને તેની જવાબદારી હતી કે તે યોગ્ય દિશામાં આગળ વધે. તેમણે કહ્યું કે, તે તમામ પડકારોથી પરિચિત છું, જે આપણી સામે છે. આપણી પાસે ઇતિહાસથી જોડાયેલ સમસ્યાઓ છે.
આત્મનિર્ભર ભારતના પ્રયાસ દેશની પ્રગતિમાં મદદરૂપ થશે
વિદેશમંત્રીએ અર્થવ્યવસ્થાના મુદ્દા પર વાત કરતા કહ્યું કે, અર્થવ્યવસ્થામાં વધારો કર્યા વીના શક્તિમાં વધારો ન થઇ શકે. તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત રાષ્ટ્રીય ક્ષમતાનું નિર્માણ કરવા માટે એક નીતિગત પ્રયાસ છે, આ ભારતને વિશ્વસ્તરે કોઇનો વિરોધી પણ નથી બનાવતો. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનો કહેર ખતમ થયા બાદ દુનિયા વધુ કઠિન હશે, રાષ્ટ્ર વધુ આત્મ-કેન્દ્રિત થઇ જશે, બોલાચાલી ખુબ ઉગ્ર થઇ જશે અને દુનિયામાં રાષ્ટ્રવાદની બોલબાલા જોવા મળશે.
વિદેશ મંત્રી જયશંકરે મંગળવારે રશિયા જવા રવાના થશે
વિદેશમંત્રી એસ.જયશંકરના ચાર દિવસીય રશિયા પ્રવાસ પર જવા દરમિયાન મંગળવારે ઈરાન રોકાવાની સંભાવના છે. મામલેની જાણકારી રાખનારા લોકોના જણાવ્યા અનુસાર, મોસ્કોમાં જયશંકર દ્વારા ચીની સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય બેઠક થવાના આશા છે. જયશંકર મોસ્કોમાં આયોજિત આઠ સભ્યોની શંઘાઇ બેઠકમાં સામેલ થવા માટે જઇ રહ્યા છે, જેમાં ભારત અને ચીન સભ્ય છે.