12 જાન્યુઆરી, 1863માં કોલકતામાં જન્મેલા નરેન્દ્ર નાથ પછી આગળ ચાલતા સ્વામી વિવેકાનંદના નામેથી મશહુર થયા. તેમના જન્મજયંતીના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવેકાનંદની જ્યારે પણ વાત થાય છે. ત્યારે અમેરિકાના શિકાગોની ધર્મપરિષદમાં 1893માં આપેલા ભાષણની ચર્ચા હંમેશા થાય છે. જેણે આખી દુનિયામાં ભારતવર્ષની એક મજબુત છબી રજુ કરી હતી.
12 જાન્યુઆરી, 1863માં કોલકતામાં જન્મેલા નરેન્દ્ર નાથ પછી આગળ ચાલતા સ્વામી વિવેકાનંદના નામેથી મશહુર થયા. તેમના જન્મજયંતીના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવેકાનંદની જ્યારે પણ વાત થાય છે. ત્યારે અમેરિકાના શિકાગોની ધર્મપરિષદમાં 1893માં આપેલા ભાષણની ચર્ચા હંમેશા થાય છે.
આ તે ભાષણ છે જેણે આખી દુનિયામાં ભારતવર્ષની એક મજબુત છબી રજુ કરી હતી. પરંતુ આ ભાષણમાં તેમણે શું કહ્યું તે ખુબ ઓછા લોકોને ખબર છે.
સ્વામી વિવેકાનંદના ભાષણની ખાસ વાતો
૧.અમેરિકાના ભાઈઓ તથા બહેનો, આપે જે સ્નેહથી મારું સ્વાગત કર્યું છે. તેનો હંમેશા આભારી રહીશ. હું દુનિયાની સૌથી જૂની સંત પરંપરા અને દરેક ધર્મોની જનની તરફથી ધન્યવાદ કહું છું. બધી જ જાતિયો અને સંપ્રદાયના લાખો કરોડો હિંદુઓ તરફથી આભાર વ્યક્ત કરું છું.
2.હું આ મંચ પર બોલવા વાળા વક્તાઓને પણ ધન્યવાદ કહેવા માંગુ છું. હું જેમણે જાહેર કર્યું છે કે દુનિયાની સહિષ્ણુતાનો વિચાર પૂર્વ દેશોમાંથી પ્રસરીત થયો છે તેમનો પણ આભારી છું
3.મને ગર્વ છે કે હું તે ધર્મમાંથી છું જેમણે દુનિયાને સહિષ્ણુતા અને સાર્વભૌમિકતાના પાઠ ભણાવ્યા છે. આપણે માત્ર સહિષ્ણુતા અને સાર્વભૌમિકતા પર જ વિશ્વાસ નથી કરતા પરંતુ આપણે ધર્મને સાચા અર્થમાં સ્વીકાર કરીએ છીએ.
૪.મને ગર્વ છે કે હું તે દેશમાંથી છું જેમણે તમામ ધર્મો અને દેશોનો સ્વીકાર કર્યો છે અને આશરો આપ્યો છે. મને ગર્વ છે કે આપણે આપણા હર્દયમાં ઈઝરાઈલની પવિત્ર યાદો સાચવી રાખી છે રોમન હમલાખોરોએ તેમના ધર્મસ્થળોને તબાહ કરી દીધા હતા. પછી તેમણે દક્ષીણ ભારતમાં આશરો લીધો હતો.
5.મને ગર્વ છે કે હું એક એવા ધર્મમાંથી છું કે જેમણે પારસી ધર્મને આશરો આપ્યો હતો અને હજુ પણ તેમની સતત મદદ કરી રહ્યા છીએ.
6.હું આ અવસર પર એક શ્લોક સાંભળવા માંગુ છું જે મને બાળપણથી યાદ છે. અને જે શ્લોકનું રોજે કરોડો લોકો સ્મરણ કરે છે. જેવી રીતે અલગ અલગ જગ્યાએ થી નીકળતી નદિયોં, અલગ અલગ રસ્તાઓથી સમુદ્રમાં ભળી જાય છે. એવી જ રીતે મનુષ્ય તેમની ઈચ્છાથી અલગ અલગ રસ્તાઓ પસંદ કરે છે. આ રસ્તાઓ જોવામાં ભલે અલગ અલગ લાગે છે. પરંતુ તેમનો માર્ગ છેલ્લે ઈશ્વર પાસે જ પહોંચે છે.
7.સાંપ્રદાયિકતા,કટ્ટરતા અને તેમના ભયાનક વંશજોની રૂઢીચુસ્ત ધાર્મિકતા અને અંધશ્રધ્ધાના કારણે આ ખુબસુરત ધરતીને વૈરાન જંગલ બનાવી દીધું છે. તેમણે આ ધરતીને હિંસાથી લોહીલુહાણ કરી દીધી છે. કેટલીય વાર આ ધરતી લોહીથી લાલ બની ચુકી છે. ન જાણો કેટલી સભ્યતાઓ અને કેટલાય દેશોને તબાહ કરી દીધા છે.
8.જો આવા રાક્ષસો ન હોત તો આ માનવ સમાજ ઘણો વિશિષ્ઠ હોત. પરંતુ હવે તેમનો સમય પૂરો થઈ ગયો છે. મને આશા છે કે આ પરિષદનો ધ્યેય તમામ પ્રકારની કટ્ટરતા, રૂઢીચુસ્ત ધાર્મિકતા અને દુખોનો વિનાશ કરવાનો હશે. પછી તે તલવાર થાય કે કલમથી.