કાશ્મીરની જ વાતો કરતા કરતા હવે પાકિસ્તાનને ચારે બાજુથી ફટકા પડી રહ્યાં છે. ત્યારે હવે ફરી એક વાર કે જ્યાં પાકિસ્તાન પોતાનાં જ ઘરમાં લઘુમતીઓ સાથે અત્યાચાર કરે છે અને ખૂબ ગર્વથી અન્ય દેશો પર આંગળી ઉઠાવી રહ્યું છે. ત્યારે હવે ફરી વાર પાકિસ્તાનને મંદી વચ્ચે બીજો એક ઝટકો લાગવા જઇ રહ્યો છે. એટલે કે પાકિસ્તાનથી જનરલાઇઝ્ડ સિસ્ટમ પ્રીફેંસ (GSP) પ્લસ સ્ટેટસ પરત લેવાવું જોઇએ એવી માંગ ઉઠી છે.
પાકિસ્તાનમાં શિખો, હિંદુઓ અને ઇસાઇઓનું ધાર્મિક શોષણ
ઇસાઇઓ અને અન્ય લઘુમતીઓ બને છે સામાજિક-આર્થિક અને રાજકીય બહિષ્કારનાં ભોગ
FATF પહેલાં જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખી ચૂક્યું છે. આ સાથે યૂરોપ ઇન્ડિયા ચેમ્બર ઑફ કોમર્સ (EICC)એ યૂરોપીયન કમિશનનાં ઇયૂ કમિશ્નર ફૉર ટ્રે઼ડને ચિઠ્ઠી લખી અને માંગ કરી કે પાકિસ્તાનથી જનરલાઇઝ્ડ સિસ્ટમ પ્રીફેંસ (GSP) પ્લસ (Generalized System of Preferences) સ્ટેટસ પરત લેવાવું જોઇએ.
પાકિસ્તાનની કમર તૂટી જશે
પહેલેથી જ પાકિસ્તાન મંદીનો સામનો તો કરી રહ્યું છે. હવે એવામાં જો તેની સામે એવી કાર્યવાહી કરવામાં આવે તો તેને ખૂબ મોટી મુશ્કેલી ઉભી થઇ જશે. કારણ કે GSP અંતર્ગત યુરોપિયન દેશોમાં આયાત માટે ફરજો લાદવામાં નથી આવતી.
EICCએ પાકિસ્તાન કમિશ્નરનાં નામે જે પત્ર લખ્યો તેમાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાનમાં શિખો, હિંદુઓ અને ઇસાઇઓનું ધાર્મિક શોષણ કર્યુ છે. 12 સપ્ટેમ્બરનાં રોજ લખવામાં આવેલ પત્રમાં EICCએ લઘુમતી સમુદાયોની છોકરીઓનાં જબરદસ્તી ધર્મ પરિવર્તન સાથે સંબંધિત મામલાઓ પર પણ પ્રકાશ નાખ્યો છે.
બળજબરીથી કરવામાં આવે છે ધર્મ પરિવર્તન
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મેડમ કમિશનર, અમને ચિંતા છે કે પાકિસ્તાનીઓ ઇસાઇઓ, શીખ અને હિંદુઓ વિરુદ્ધ વ્યવસ્થિત નરસંહારમાં શામેલ છે. પાકિસ્તાનમાં લઘુમતીઓએ ઐતિહાસિક અને વર્તમાન ધાર્મિક દમન શોષણ અને વ્યવસ્થિત હિંસાનો અનુભવ કર્યો છે. ત્યાં જબરજસ્તી ધર્માંતરણ કરવામાં આવે છે. પત્રનાં અનુસાર, ધાર્મિક શોષણ નરસંહાર, વિધ્વંસ અને ચર્ચો અને મંદિરોની તબાહી અને શિક્ષાકેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો છે. ઇસાઇઓ અને અન્ય લઘુમતીઓ ન તો માત્ર ઉગ્રવાદ માટે સરળ લક્ષ્ય છે પરંતુ સાથે સાથે દેશમાં સામાજિક-આર્થિક અને રાજકીય બહિષ્કારનો પણ ભોગ બને છે.
ક્યારે ઉભી થઈ GSPનો દરજ્જો પાછો ખેંચવાની માંગ
9 સપ્ટેમ્બરનાં રોજ બ્રસેલ્સમાં યુરોપિયન સંસદની ઉપ-સમિતિ (માનવાધિકાર પર અધિકાર) (DROI)ની એક બેઠક દરમિયાન પાકિસ્તાનમાં GSP પાછું ખેંચવાની માંગ યુરોપિયન સંસદ (MEPs)નાં સભ્યો દ્વારા ઉઠાવાઇ હતી.
માનવાધિકાર ઉલ્લંઘનમાં લિપ્ત આ દેશો સાથે EUએ કર્યું આવું
ભૂતકાળમાં, યુરોપિયન સંઘે માનવ અધિકારોનાં ઉલ્લંઘનમાં શામેલ દેશ, જેવાં કે શ્રીલંકા (હવે પુનઃપ્રસ્થાપિત) જેવાં માનવાધિકાર ઉલ્લંઘનમાં શામેલ દેશો સાથેનાં વેપાર વિશેષાધિકારોને સ્થગિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત, યુરોપિયન યુનિયને એવાં ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે કે જેનું ઉત્પાદન સંઘર્ષનાં કિસ્સામાં માનવાધિકારો સાથે સંબંધિત છે.