સુરતઃ રાષ્ટ્રીય વોલીબોલના ખેલાડી રોમિત બુનકીનુ મોત થયુ છે. તાવની અસર થતા રોમિત બુનકીને મહાવીર હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન રોમિત બુનકીનુ હોસ્પિટલમાં મોત થયું છે. રોમિત બુનકીની મોત થતા પરિવારજનોએ હોસ્પિટવના સ્ટાફની બેદરકારીથી મોત થવાનો આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જણાવી દઇએ કે રોમિત બુનકીના લગ્ન 25 દિવસ પહેલા થયા હતા. તેવામાં તેમની પત્નીનું હૈયાફાડ રૂદન અને પરિવાર શોકમાં ડુબેલો છે.
મળેલી માહિતી અનુસાર રોમિત જયેશ કુમાર બુનકી રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ ખેલાડી હતા. ગોધરા ખાતે 26 વર્ષીય રોમિત નેશનલ કેમ્પમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં તેમને અચાનક તાવની અસર થઇ હતી ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
સારવાર દરમિયાન રોમિત બુનકીનુ મોત
રોમિતને સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું તાવના ત્રણ દિવસ બાદ મોત થયું છે. રોમિતે કેમ્પમાં તાવની ફરિયાદ કરી હતી. જ્યારબાદ તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવારમાં રખાયા હતા બાદમાં ડોક્ટરો દ્વારા અંતે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.