પશ્ચિમ બંગાળનાં કેટલાંક વિસ્તારોમાં તે સમયે લોકો પરેશાનીમાં મુકાઇ ગયા કે જ્યારે અચાનક તેઓનાં ખાતામાં અચાનક હજારો રૂપિયા જમા થઇ ગયાં. પૈસા કેટલાં જમા કર્યા? કેમ કર્યા અને કેટલાં માટે કર્યા? આ વાતની જાણકારી કોઇને પણ નથી પરંતુ આ વાતની પુષ્ટિ થઇ છે કે અચાનક તેઓની રકમમાં વધારો થઇ ગયો છે.
પશ્ચિમ બંગાળનાં પૂર્વ વિસ્તારનાં કેતુગ્રામનાં શિબલૂન બેલૂન ટોલાબાડી સેનપાડા અંબાલગ્રામ નવાગ્રામ અને આંબાલટુકરીમાં અનેક લોકોનાં ખાતામાં 2 હજાર રૂપિયાથી લઇને 24 હજાર રૂપિયા સુધી જમા થયાં છે. પરંતુ આ પૈસા તે લોકોનાં ખાતામાં જ આવ્યાં છે કે જેઓનાં ખાતા યૂકો બેંક યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડીયા અને એસબીઆઇમાં છે.
ખાતામાં પૈસા જમા થવાની ખબર મળતા જ બેંકોમાંથી પૈસા નિકાળનારા લોકોની ભીડ લાગી ગઇ. દરેક શખ્સ એવી આશા સાથે બેંક આવ્યાં હતાં કે તેઓનાં ખાતામાં પણ પૈસા આવ્યાં હશે.
આ સંબંધમાં બેંક અધિકારીઓનું કહેવું એમ છે કે ખાતામાં પૈસા એક્સિસ બેંકથી એનઇએફટીને આધારે આવ્યાં છે. સાથે સાથે આ સંબંધમાં તેઓનું કહેવું એમ પણ છે કે જ્યાં સુધી પૂરા મામલાની તપાસ ના થઇ જાય ત્યાં સુધી કંઇ પણ કહેવું સંભવ નથી.
સાથે સ્થાનીય ધારાસભ્ય શાહનવાઝ હુસૈને પીએમ મોદી પર સકંજો કસતા કહ્યું કે થઇ શકે છે કે મોદી સરકારે 15 લાખ રૂપિયા આપવાની વાત કહી હતી જેથી ચૂંટણી પહેલાં કેટલાંક રૂપિયા કદાચ નાખી દેવાયા હોય.