બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લગ્ન પછી આ મંદિરમાં કરો દર્શન, સાત જન્મ સુધી રહેશે પ્રેમ અને વિશ્વાસ!

ધર્મ / લગ્ન પછી આ મંદિરમાં કરો દર્શન, સાત જન્મ સુધી રહેશે પ્રેમ અને વિશ્વાસ!

Last Updated: 08:16 AM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડમાં એક પવિત્ર સ્થાને એક એવી માન્યતા છુપાઈ છે, જે નવા દાંપત્ય સંબંધોને અતૂટ બનાવે છે. શું તમે જાણો છો કે આ મંદિરની માન્યતા શું છે ? નથી જણાતા તો અમે તમને મંદિર વિશે જણાવાશું

ઉત્તરાખંડના ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ જિલ્લાના બાગેશ્વરમાં આવેલું બાબા બાગનાથ મંદિર એક પવિત્ર અને શ્રદ્ધાથી ભરેલું સ્થાન છે. આ મંદિર ખાસ કરીને નવપરિણીત દંપતી માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ પ્રમાણે, જો નવા લગ્ન થયેલા યુગલ લગ્ન પછી અહીં દર્શન કરવા આવે છે અને ભગવાનને જલાભિષેક તથા પૂજા અર્પે છે, તો તેમનું પ્રેમભર્યું સંબંધ જીવનભર તેમજ સાત જન્મ સુધી અતૂટ રહે છે. સાથે જ તેમના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

baba-bagheswar

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર માન્યતા ફક્ત કેહવાયેલી કથાઓ નથી પણ વર્ષોથી અનુસરાતી પરંપરા છે. બાગેશ્વરના ગામડાઓથી લઈને શહેર સુધીના લોકો લગ્ન પછી તેમના કુટુંબના દેવી-દેવતાઓના દર્શન કર્યા પછી ચોક્કસ રીતે બાબા બાગનાથ મંદિરે આવે છે. અહીં જલાભિષેક કરે છે, પાઠ કરાવે છે અને ભગવાનને પ્રેમભરેલું જીવન જીવવાની પ્રાર્થના કરે છે.

baba-bagnath-temple-4

આ મંદિરનું ધાર્મિક મહત્વ એટલું વધારે છે કે લોકો માને છે કે બાબા બાગનાથ માત્ર ભક્તિનો નહીં પણ રક્ષણકર્તા તરીકે કાર્ય કરે છે અને દાંપત્યના સંબંધને મજબૂત બનાવે છે. તેથી જ અહીં લગ્ન પછી દર્શન કરવા ખાસ મહત્વ આપવામાં આવે છે. બાબા બાગનાથ મંદિર બાગેશ્વર જિલ્લા મુખ્યાલયથી ખૂબ નજીક આવેલું છે. મુખ્ય બજારથી માત્ર 50 મીટરના અંતરે હોવાથી, અહીં ચાલીને પણ સરળતાથી જઈ શકાય છે. આ મંદિર ગોમતી અને સરયુ નદીઓના પવિત્ર સંગમ પર આવેલું છે, જે તેને વધુ શાંતિદાયક અને પવિત્ર બનાવે છે.

આ પણ વાંચો : દેશભરમાં જાણીતું બાલા હનુમાન મંદિર, 1964થી ચાલે છે અખંડ રામધૂન, પરચા અપરંપાર

જો તમારા તાજેતરમાં લગ્ન થયા છે અને તમે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ, શાંતિ અને સુમેળ જાળવી રાખવા માંગો છો, તો બાબા બાગનાથ મંદિરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. અહીંની આધ્યાત્મિક શાંતિ અને પાવન પરંપરા તમારા જીવનમાં એક નવી દિશા અને ઊર્જા લાવી શકે છે. આ માન્યતાઓ માત્ર ધાર્મિક નથી, પણ એકબીજાની સમજ, પ્રેમ અને આદરથી ભરેલા જીવન માટે સકારાત્મક સંદેશ પણ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Temple Bageshwar Baba Bagnath Temple married couples
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ