આગામી વર્ષે થનારા લોકસભા ચૂટંણીની તૈયારીમાં શોરજોરમાં જોડાયેલી ભાજપ માટે એક રાહતભર્યા સમાચાર છે. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે દાવો કર્યો છે કે તેમના એક સર્વેક્ષણના અનુસાર 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપ 297-303 સીટ જીતશે. આ સર્વેક્ષણ માટે દેશભરના 5.4 લાખથી વધારે લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી.
પિયૂષ ગોયલે આગળ કહ્યુ કે 2013માં પણ આ જ પ્રકારે સર્વે કરવામાં આવ્યો હતો અને 2014માં ભાજપ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ જે સાચ્ચુ સાબિત થયુ. 2019 માટે ઓગ્સ્ટ-સપ્ટેમ્બરમાં સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતુ.
તમને જણાવી દઇએ કે જ્યાં એક તરફ સત્તા ધરાવતી પાર્ટી ભાજપ પોતાની વાપસી માટે જોરશોરથી પ્રચાર કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ પણ ભાજપને ધેરવા માટે રણનીતિ બનાવી રહ્યુ છે. આજ ક્રમમાં થોડા દિવસ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે ''ભાજપ વિરોધી પાર્ટીને એક મંચ બોલાવીને ભવિષ્યની યોજના બનાવવા માટે 22 નવેમ્બરના નવી દિલ્હીમાં બેઠક કરવા જઇ રહ્યા છીએ.''
ચંદ્રબાબુ નાયડુએ કહ્યુ કે અમારો પ્રયત્ન છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ઘ લડવા માટે તમામ પાર્ટીઓને એક મંચ પર એકસાથે આવવું પડશે. 19-20 નવેમ્બર પ્રશ્ચિમ બંગાળના મુંખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ચંદ્રબાબુ નાયડુએ પૂવ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બેંગ્લોરૂમાં દેવગૌડાના ઘર પર જ કરવામાં આવી હતી. આ બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી અને દેવેગૌડાને દિકરા કુમારસ્વામી પણ શામેલ થયા હતા. ત્યારે બીજી તરફ ચંદ્રબાબુ નાયડુ દિલ્હીમાં રાહુલ ગાંધી શરદ પવાર અખિલેશ યાદવ અને ફારૂખ અબ્દુલ્લા સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તમામ નેતાઓની સાથે તેમની મુલાકાતને વિપક્ષને એકજૂથ કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યુ છે.