કાશી , મથુરા, દ્વારકા અને અયોધ્યા સહિત દેશની પ્રાચીન અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વનાં 7નગરોને તેમનું જુનું ગૌરવ પાછું મળશે. કલ્ચરલ મંત્રાલય આ નગરોને વિકસીત કરવા માટે યુનેસ્કોની સાથે નવેસરથી વાતચીત શરું કરી છે.
પ્રવાસન મંત્રીએ યુનેસ્કોના ડાયરેક્ટર સાથે વાત કરી
એક યુનિટમાં સમાવેશ કરવા પ્રસ્તાવ મુક્યો છે
આ 7 નગરોમાં દ્વારકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
યુનેસ્કો સામે મુકાયો આ પ્રસ્તાવ
મંગળવારે દિલ્હી પ્રવાસે આવેલી યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ આંદ્રે અજુલેની સાથે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ સિંહ પટેલે લાંબી ચર્ચા કરી હતી. આ દરમિયા 7 પ્રાચીનનગરોને એક યુનિટમાં સમાવવા પ્રસ્તાવ મુક્યો છે. 7 પ્રાચીન અને સાસ્કૃતિક નગરોને લઈને યુનેસ્કોની ટીમ સાથે વાતચીત થઈ હતી.
આ 7 નગરોનો સમાવેશ કરાયો પ્રસ્તાવમાં
સંસ્કૃતિ મંત્રીએ આ પ્રવાસ દરમિયાન યુનેસ્કોનાં જે અધિકારીઓ સાથે દેશના જે 7 પ્રાચીન અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંમુદ્ધનગરોની ચર્ચા કરી છે તેમાં કાશી, મથુરા અને અયોધ્યા ઉપરાંત હરિદ્વાર, કાંચી, ઉજ્જૈન અને દ્વારકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 7નગરને એક યુનિટમાં સમાવવાનાં પ્રસ્તાવ પર યુનેસ્કો જલ્દી પગલા ભરશે એની ખાતરી યુનેસ્કો દ્વારા આપવામાં આવી છે.
યુનેસ્કોની ટીમ માનવ સંસાધન વિકાસ મંત્રીને મળી કરી આ ચર્ચા
યુનેસ્કોની ટીમે આ પ્રવાસ દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે શિક્ષણને મજબુત કરવા અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જયંતીને લઈ કરવામાં આવેલા નિર્ણય અંગે જાણકારી આપી હતી.