શ્રીનગરઃ દક્ષિણી કશ્મીરમાં આતંકીઓનાં ગઢમાં પહલગામમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)એ 68 ફૂટની ઉંચાઇએ ત્રિરંગો અને 63 ફૂટ ઉંચો સીઆરપીએફનો ઝંડો લહેરાવ્યો. સીઆરપીએફનાં મહાનિરીક્ષક જુલ્ફિકાર હસનનાં જણાવ્યાં અનુસાર આ કશ્મીરમાં સૌથી ઉંચો ત્રિરંગો છે.
જાણકારી અનુસાર આ ત્રિરંગો એક ડિસેમ્બરનાં રોજ અનંતનાગ જિલ્લાનાં પહલગામમાં સ્થિત સીઆરપીએફની બટાલિયનનાં મુખ્યાલયમાં લહેરાવવામાં આવ્યો. હસને કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ્ય ઘાટીમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને પર્યટકોને પ્રોત્સાહિત કરવાનો છે.
તમને જણાવી દઇએ કે પર્યટન જ કશ્મીરનાં લોકોનાં ખર્ચા માટેનો મુખ્ય આધાર છે. પરંતુ આતંકી ગતિવિધિઓને કારણે અહીંયા પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. જેનાંથી પર્યટન લગભગ ઠપ થઇ ગયેલ છે. જુલ્ફિકાર હસને કહ્યું કે જો અમારી પાસે રાષ્ટ્રીય ધ્વજ છે અને સીઆરપીએફ પહેલગામ જેવાં કશ્મીરનાં પ્રખ્યાત પર્યટક સ્થળોમાં ઉંચો ત્રિરંગો લહેરાવી રહેલ છે તો લોકોને એ માલૂમ થશે કે સ્થિતિ સામાન્ય છે અને કશ્મીર પર્યટકો માટે સુરક્ષિત છે. તેઓએ કહ્યું કે ત્રિરંગો લહેરાવવાનો બીજો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં તૈનાત સીઆરપીએફની વચ્ચે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવાનો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ત્રિરંગો રાત્રીએ પણ રોશનીથી ઝળહળી ઉઠે છે. પર્યટક અને નાગરિક સરળતાથી રાતમાં ત્રિરંગાને જોઇ શકશે. સીઆરપીએફની 116મી બટાલિયનનાં કમાન્ડો રાજકુમારે કહ્યું કે શ્રીનગર હવાઇ અડ્ડા પર પણ એક ત્રિરંગો છે અને તે ઉંચો થઇ શકે છે.
પરંતુ જો આપણે પહેલગામની ઉંચાઇ પર વિચાર કરીએ તો લગભગ જ આ ઘાટીમાં સૌથી ઉંચાઇનાં બિંદુ પર છીએ કે જ્યાંથી રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવેલ છે. તમને જણાવી દઇએ કે પહેલગામ વાર વાર્ષિક શ્રી અમરનાથ યાત્રાને માટે આધાર શિવિરનાં રૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે.