અમદાવાદઃ દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ ચાલી રહી છે. ટ્રકની હડતાળને લઈને શાકભાજીના ભાવ પર અસર થઈ છે. ત્યારે હવે અમદાવાદના APMCમાં 50 ટકા શાકભાજીની ટ્રકો ઓછી આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં દૂધ અને શાકભાજીના વાહનો બંધ થવાના ઓંધાણ પણ છે. ટ્રકોની હડતાળને લઈને શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. બટાકા ડુંગળી લીલા શાકભાજીના ભાવમાં 20 ટકાનો વધારો થયો છે.
મહત્વનું છે કે ટ્રાન્સપોર્ટની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ ટ્રાન્સપોર્ટની હડતાળ યથાવત છે. દેશભરના ટ્રાન્સપોર્ટ દ્વારા પોતાની અલગ અલગ માંગને લઈને હડતાળ કરવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટર્સના બંધના કારણે દેશમાં કરોડોનો વેપાર ખેરવાયો છે જેના કારણે ગુજરાતમાં પણ વ્યાપક અસર થઈ છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટની હડતાળના કારણે અનેક ઈન્ડસ્ટ્રીના વેપારને પણ અસર થઈ છે.
આ ઉપરાંત દેશમાં ટેક્સટાઈલ હજીરાની કંપનીઓની હેરાફેરી અટકી છે. ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે પેટ્રોલ અને ડિઝલના વેચાણને પણ અસર થઈ છે.