જનસંખ્યાને રસી લગાવી સતત ત્રીજા લહેરની અસરને ઓછી કરવાની સંભાવનાઓ પર ચર્ચા શરુ થઈ છે.
ત્રીજી લહેર બીજી કરતા વધારે ખતરનાક તો નથી ને?
દુનિયાના વૈજ્ઞાનિકો ત્રીજી લહેરને લઈને ચિંતિત છે કેમ કે...
15-20 ટકા જનસંખ્યાને બન્ને ડોઝ લાગ્યા બાદ સ્પીડમાં સ્થિતતા આવશે
ત્રીજી લહેર બીજી કરતા વધારે ખતરનાક તો નથી ને?
મોટો સવાલ છે કે ક્યાંય ત્રીજી લહેર બીજી કરતા વધારે ખતરનાક તો નથી ને અને તેને પહોંચી વળવા માટે દેશ કેટલો તૈયાર થઈ શકશે. એક મોટી જનસંખ્યાને રસી લગાવી સતત ત્રીજા લહેરની અસરને ઓછી કરવાની સંભાવનાઓ પર ચર્ચા શરુ થઈ છે.
દુનિયાના વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે
સીએસઆઈઆરના મહાનિર્દેશક ડો. શેખર માંડે કોરોનાની ત્રીજી લહેરની આશંકાને યોગ્ય ગણાવતા કહ્યુ કે દુનિયાના વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે. તેમણે કહ્યુ કે ત્રીજી લહેરને સ્પેનિશ ફ્લૂ જેટલુ ખતરનાક થતા અટકાવી શકાય છે. રસી કોરોનાની વિરુદ્ધ એક અસરકારક હથિયાર છે.
રસી ઉત્પાદનની મર્યાદા અને ભારત તેમજ વિશ્વના તમામ લોકોને જલ્દી થી જલ્દી રસી ઉપલબ્ધ કરાવવાની ને લઈને ડો. આશ્વસ્ત છે. તેમના અનુસાર બધી રસી મળીને સમગ્ર વિશ્વને રસીના ડોઝ પુરા પાડવા સક્ષમ છે.
15-20 ટકા જનસંખ્યાને બન્ને ડોઝ લાગ્યા બાદ સ્પીડમાં સ્થિતતા આવશે
એસબીઆઈની તાજા ઈકોરેપ રિપોર્ટમાં ડો. શેખરના દાવાનું સમર્થન કર્યુ છે. આ રિપોર્ટમાં દુનિયાના વિભિન્ન દેશોમાં રસીકરણના અનુભવોના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ દેશમાં 15-20 ટકા જનસંખ્યાને બન્ને ડોઝ લાગ્યા બાદ સંક્રમણની સ્પીડમાં સ્થિતતા આવશે. ભારતની હાલની સ્થિતિ અને ભવિષ્યની તૈયારીઓના આધારે એસબીઆઈએ ઓક્ટોબર સુધી દેશમાં લગભગ 105 કરોડ ડોઝ ઉપલબ્ધ થવાનો દાવો કર્યો છે. આટલા ડોઝથી ભારતમાં 15 ટકા જનસંખ્યાને બન્ને ડોઝ અને 63 ટકાને પહેલો ડોઝ લાગી ચૂક્યો હશે. એટલે કે 70 ટકા વસ્તી સુરક્ષિત થઈ ચૂકી હશે.
કોરોનાની રસી ગેમચેન્જર સાબિત થઈ શકે
અનેક એક્સપર્ટનું માનવું છે કે 3 મહિનામાં ઓછામાં ઓછા 30 ટકા વસ્તીને બન્ને ડોઝ સુનિશ્ચિત કરવાના રહેશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ આન વેક્સીન એડમિનિસ્ટ્રેશન ફાર કોવિડ 19(નેગવૈક)ના સભ્ય ડોક્ટર એનકે અરોડાએ જણાવ્યુ કોરોનાની પહેલી લહેરનો પીક સપ્ટેમ્બરમાં આવ્યો હતો. એ બાદ 4 મહિના કેસ ઘટ્યા બીજી લહેરની શરુઆત ફેબ્રુઆરીથી શરુ થઈ મેમાં પીક સુધી પહોંચવાના અણસાર છે. એ બાદ કેસ ઓછા થશે ફરી ત્રીજી લહેર શરુ થઈ જશે. ત્રીજી લહેરને પીક પર પહોંચતા 2- 3 મહિના લાગશે. આ રીતે ઓક્ટોબર અથવા નવેમ્બર સુધીમાં ત્રીજા ચરણની શરુઆત થશે. કોરોનાની રસી ગેમચેન્જર સાબિત થશે.