પોખરણ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ પર ઉજવવામાં આવતા નેશનલ ટેકનોલોજી દિવસ પર બુધવારે પ્રધાનમંત્રી મોદીએ દેશના વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસોના ખૂબ વખાણ કર્યા હતા.
પોખરણ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ
પીએમ મોદીએ ટ્વિટ કરી આ વાત કહી
પૂર્વ વડાપ્રધાન વાજપેયીના કર્યા વખાણ
પોખરણ પરમાણુ પરીક્ષણની વર્ષગાંઠ પર ઉજવવામાં આવતા નેશનલ ટેકનોલોજી દિવસ પર બુધવારે પ્રધાનમંત્રી મોદીએ દેશના વૈજ્ઞાનિકો અને તેમના પ્રયાસોના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે આ અવસરે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. તથા તેમના રાજકીય સાહસોના પણ ભરપૂર વખાણ કર્યા હતા. મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર આજે અમે આપણા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અને તેમના પ્રયત્નો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમના પ્રયત્નોથી 1998માં આપણે પરમાણુ પરીક્ષણમાં સફળતા પ્રાપ્ત થઈ છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું
પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં એવું પણ કહ્યું હતું કે, આપણે અટલજીના કુશળ નેતૃત્વને પણ ગર્વ સાથે યાદ કરીએ છીએ, જેમણે ઉત્કૃષ્ટ રાજકીય સાહસ અને રાજકીય કૌશલનો પરિચય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટની સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો ક્લિપમાં અટલ બિહાર વાજપેયી પોખરણ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરતા નજરે પડે છે. વીડિયોમાં નરેન્દ્ર મોદીનો અવાજ સંભળાય છે. જેમાં પોખરણ પરમાણુ પરીક્ષણનો ઉલ્લેખ કીર રહ્યા છે. ત્યાર બાદ અટલ બિહાર વાજપેયી જણાવે છે કે, ભારત પરમાણુ હથિયારોનો ુપયોગ સૌથી પેહલા નહીં કરે. આપને જણાવી દઈએ કે, તે સમયે અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, એટમી હથિયારો ઉપયોગ રક્ષણ માટે પણ થઈ શકે છે.
Today, on National Technology Day, we express gratitude to our brilliant scientists and their efforts that led to the successful Pokhran tests in 1998. We remember with pride the exemplary leadership of Atal Ji who showed outstanding political courage and statesmanship. pic.twitter.com/QZXcNvm6Pe
આપને જણાવી દઈએ કે ભારતના વૈજ્ઞાનિકોની કુશળતા અને ટેકનિકલ પ્રગતીને ચિન્હીત કરવા માટે 1999ની 11 મેના દિવસથી રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે મનાવામાં આવે છે. વર્ષ 1998માં આજના દિવસે ભારતે વાજપેયીજીના નેતૃત્વમાં પોખરણમાં પાંચ પરમાણુ પરીક્ષણમાંથી પહેલુ પરીક્ષણ કર્યું હતું. ભારત આ પરીક્ષણ કરીને પરમાણુ સંપન્ન દેશોમાં સામેલ થનારો આઠમો દેશ બન્યો હતો.
ત્રિશૂલનું પણ થયું હતું પરીક્ષણ
ભારતે આજના દિવસે સ્વદેશ નિર્મિત હંસ-3 વિમાન અને નાની રેંજની મિસાઈલ ત્રિશૂલનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું. જે દેશ માટે એક કીર્તિમાન સાબિત થયું છે. આ પરીક્ષણોથી ભારતે સમગ્ર વિશ્વમાં પોતાની શક્તિનો પરચો આપ્યો હતો.