ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ પર લાગેલા યૌન શોષણના આરોપોને કથિત ષડયંત્ર મામલે સુનાવણી હાથ ધરાઈ છે. યૌન શોષણના કેસમાં તમામ દલીલો સાંભળીને તેની જીણવટ ભરી તપાસ કરવામાં આવી છે. આ કેસમાં તમામ પક્ષોને સરખી રીતે સાંભળીને કડક કાર્યવાહી કરવાની કોર્ટે ખાતરી આપી છે.
જસ્ટિસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે રંજન ગોગોઇ મામલે સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી આજે દિવસભર ચાલી હતી. જેમા દાવો કરવામાં આવ્યો છે કે જો ફિક્સર તેના હિસાબથી ન્યાયતંત્ર સાથે ચેડા કરતા રહે છે તો પછી ન તો સંસ્થાન અને ન અમારામાંથી કોઈ બચી શકશે.
બેંચે કહ્યું કે આ મામલે આગામી સુનાવણી ગુરુવારે થશે. જજોએ કહ્યું કે,અમે આ વિશે તપાસ ચાલુ રાખીશું અને તેના મૂળ સુધી જઈશું. જેમાં કહેવામાં આવ્યું છે કે અમુક ફિક્સર ન્યાયતંત્રનીછબી સાથે ચેડા કરવાની કોશિષ કરી રહ્યા છે. જો તેઓ કામ કરતા રહેશે તો અમારામાંથી કોઈ બચશે નહીં. સિસ્ટમમાં ફિક્સિંગનો કોઈ રોલ હોતો નથી. અમે આની સંપૂર્ણ તપાસ કરીશું.
સુપ્રીમ કોર્ટે યૌન શોષણના આરોપોની તપાસ ઇન હાઉસ પેનલ કરશે.જ્યારે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવેલા ષડયંત્રની અલગથી તપાસ કરાશે. તેના માટે SIT ની રચના કરવામાં આવે.
ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશ્નર, CBI પ્રમુખ અને IB ડાયરેક્ટરને કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા હતા. આ કેસમાં પહેલા પણ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ન્યાયતંત્ર ખતરામાં હોવાનું નિવેદન આપ્યું હતું.