દેશ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે ત્યારે જાણો અટલ બિહારી વાજપાયી, ડો. મનમોહન સિંહ અને હવે નરેન્દ્ર મોદીના શાસનમાં શું છે મોંઘવારીની સ્થિતિ.
વાજપઈએ મોંઘવારી પર ખાસા અંશે કાબૂ મેળવ્યો હતો
2004થી 2014 સુધી મનમોહન સરકાર દરમિયાન મોંઘવારીનો ગ્રાફ ઉંચો
મોદી સરકાર દરમિયાન મહત્તમ 2 મોંઘવારી દર 2014ની 6.65 ટકા અને 2020માં 6.623 રહ્યો.
1998- 2004માં શું હતો મોંઘવારી ગ્રાફ
માર્ચમાં 1998થી લઈને 2004 સુધી ભાજપના દિવંગત નેતા અટલ બિહારી વાજપેયી દેશના પીએમ હતા. વિશ્વ બેંકના આંકડા મુજબ 1998માં ઉપભોક્તા કિંમતોના આધાર પર મોંઘવારી દર 13.23 ટકા હતી. જે 6 વર્ષના શાસનકાળમં સૌથી વધારે હતા. વિશ્વ બેંકના આંકડા મુજબ 19989 માં મોંઘવારી દર 4.67, 2000 માં 4.009, 2001 માં 3.779, 2002 માં 4.297, 2003 માં 3.806 અને 2004 માં 3.767 ટકા રહ્યો. વાજપઈએ મોંઘવારી પર ખાસા અંશે કાબૂ મેળવ્યો હતો. 1998ને છોડી દેવામાં આવે તો ઉપભોક્તા કિંમતોના આધાર પર મુદ્રાસ્ફૂર્તિ 5 ટકાથી ઓછી રહી. 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપ હાર્યુ હતુ. અને કેન્દ્રમાં મનમોહનનું નેતૃત્વ આવ્યું.
2004થી 2014 સુધી મનમોહન સરકાર દરમિયાન મોંઘવારીની આ હતી સ્થિતિ
2004માં જ્યારે મનમોહન સિંહ પીએમ બન્યા ત્યાં સુધી ઉપભોક્ત કિંમતોના આધાર પર મોંઘવારી દર 3.767 ટકા હતી. મનમોહન સિંહના શાસનમાં 2005માં મોંઘવારી દર 4.246, 2006 માં 5.797, 2007 માં 6.373, 2008માં 8.349, 2009 માં 10.882, 2010 માં 11.989, 2011 માં 8.858, 2012 માં 9.312, 2013 માં 11.064 અને 2014માં 6.65 ટકા રહ્યો. મનમોહન સિંહના 10 વર્ષના શાસનમાં વાજપઈ શાસનની સરખામણીએ મોંઘવારી દર વધ્યો. વર્ષ 2009,2010 અને 2013 એવા વર્ષ રહ્યા જ્યારે મોંઘવારી દર 10થી વધારે રહ્યો. જે બાદ 2014માં લોકસભા ચૂંટણીમાં મનમોહન સરકારને હારનો સામનો કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે આ આંકડા વિશ્વ બેંકના આધાર પર છે.
2014થી 2020 સુધી કેવો રહ્યો મોંઘવારી ગ્રાફ
2014માં ઉપભોક્તા કિંમતોના આધાર પર ભારતમાં મોંઘવારી દર 6.65 હતો અને આ જ એ વર્ષ હતું જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બન્યા હતા. એ બાદ 2015માં મોંઘવારી દર 4.907, 2016 માં 4.948, 2017 માં 3.328, 2018 માં 3.945, 2019માં 3.723 અને 2020 માં 6.623 ટકા રહ્યો. કોરોનાને લીધે માર્ચ 2020માં દેશમાં લોકડાઉનની સ્થિતિ આવતા આર્થિક ગતિવિધી ઠપ થઈ ગઈ. જોઈએ તો મોદી સરકાર દરમિયાન મહત્તમ 2 મોંઘવારી દર 2014ની 6.65 ટકા અને 2020માં 6.623 રહ્યો.
ધીરે ધીરે અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે
કોરોનાને લીધે સામાન્ય જનતાની ઓછી થઈ રહેલી આવકે મોંઘવારીને વધારે વિકરાળ બનાવી દીધી છે. જેની ખરાબ અસર જનતા પર પડી રહી છે. વિશ્વ બેંકના આંકડાની વાત કરીએ તો મોદી સરકારમાં હજું પણ મોંઘવારીનું સ્તર મનમોહન સરકારના મોંઘવારી દરની આસપાસ પણ નથી આવ્યું. હાલમાં દેશમાં ઉદ્યોગોમાં ફરી રોનક આવી છે. સેન્સેક્સ નવી ઉંચાઈ તરફ છે. જીડીપીમાં 2 આંકડાનો વધારો જોવા મળી રહ્યો છે અને બજારમાં સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. જો કે જરુરી વસ્તુઓમાં કિંમતો જ્યાં સુધી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી સામાન્ય વ્યક્તિની નજરમાં સેન્સેક્સની ચમક અને ઉછળતા જીડીપીનો કોઈ ખાસ મતલબ નથી રહેતો.