લોકસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓની નિવેદનબાજીઓ શરૂ થઇ ગિ છે. એવામાં ઉત્તર પ્રદેશના બાગપતમાં રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ ચૌધરી અજિત સિંહે PM નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે.
એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા અજિત સિંહે કહ્યુ કે, પીએમ મોદીને લાગે છે કે, તેમના સિવાય કોઇ કામ કરતુ નથી અને સાથે જ રાવણના મારવાનો પણ ઉલ્લેખ કર્યો.
#WATCH RLD Chief Ajit Singh on PM Modi: Ye jhoot nahi bolta..bas isne aaj tak sach nahi bola.Bacchon ko kehte hain sach bola kar,lekin iske Ma baap ne nahi sikhaya.Mahilaon ka pakshdhar hai,teen talaq teen talaq..apni patni ko ek baar bhi talaq nahi bola aur chhod diya (3.4.19) pic.twitter.com/K6kDMcKcmN
અજિત સિંહે કહ્યુ કે, ''મોદી એટલા હોશિયાર અને શાતિરક છે કે જો તેઓ શ્રીલંકા ગયા હોત તો એમ પણ કહી દેત કે રાવણને પણ મેં જ માર્યો હતો. કારણ કે દેશમાં બીજા કોઇએ તો કશુ કર્યુ જ નથી. અજિત સિંહે પોતાના ભાષણમાં જણાવ્યુ કે, સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે લોકો પીએમ સામે હાય હાય મોદી, બાય બાય મોદીના નારા લગાવી રહ્યા છે. ''
Rashtriya Lok Dal (RLD) chief Chaudhary Ajit Singh in Baghpat on PM Modi: Ye bhaiya itna hoshiyar aur shatir aadmi hai, agar ye Sri Lanka chala jaata na, laut ke kehta Rawan ko maine hi maara. Kyonki desh mein aur kisi ne to kuch kiya hi nahi. pic.twitter.com/xU73udeJ64
અજિત સિંહે પીએમ ખેડૂતોનુ સમુદ્ઘ અને ખુશહાલ બનાવવા આપેલુ વચન યાદ અપાવતા કહ્યુ ક, ''મોદી ક્યારેય સાચુ નથી બોલતા. તેમણે દાવો કર્યો હતો કે, યુપીમાં શેરડી પકવતા ખેડૂતોને હજુય ચૂકવણી નથી કરાઇ અને સુગર ફેક્ટરીઓના માલિકો સામે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.''
યોગી આદિત્યનાથ અને મોદી પર નિશાન તાકતા અજિત સિંહ બોલ્યા હતા કે, યોગી સરકાર વાયદો કર્યો હતો કે 31 માર્ચ 2018 સુધી 14 દિવસોમાં ખેડૂતોને તેમના રૂપિયા નહી મળે તો સુગર ફેક્ટરીના માલિકોને જેલભેગા કરી દેવાશે. જોકે, હજુ સુધી ખેડૂતોને ન તો કોઈ પૈસા મળ્યા છે કે ન તો સુગર ફેક્ટરીના માલિકોને જેલ થઇ છે.