આ દરમિયાન પીએમ મોદીએ લોકલ ફોર વોકલ, જનધન યોજના, હર ઘર મે શૌચાલયથી લઈ ટેક્નોલોજી સુધીની સરકારની ઉપલબ્ધિઓને ગણાવી. સંબોધનની શરુઆતમાં પીએમએ કહ્યું આજે આપણે બધા દીનદયાળ ઉપાધ્યાય જીની પૂણ્યતિથિ પર આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા એકત્રિત થયા છીએ. પહેલા પણ અનેક પ્રસંગોમાં આપણે દીનદયાળ જીની સાથે જોડાયેલા કાર્યક્રમોમાં સામેલ થવાનો વિચાર મુકવા અને પોતાના વરિષ્ઠજનોના વિચાર સાંભળવાનો મોકો મળ્યો છે.
આપણી રાજનીતિમાં રાષ્ટ્રનીતિ સર્વોપરી છે
પીએમએ કહ્યું આ આપણી વિચારધારા છે કે આપણને રાજનીતિનો પાઠ, રાષ્ટ્રનીતિની ભાષામાં ભણાવવામાં આવે છે. આપણી રાજનીતિમાં રાષ્ટ્રનીતિ સર્વોપરી છે. જો અમારે રાજનીતિ અને રાષ્ટ્રનીતિમાં એકનો સ્વીકાર કરવાનો હશે તો અમને સંસ્કાર મળ્યા છે કે અમે રાષ્ટ્રનીતિનો સ્વીકાર કરીશું, રાજનીતિને બીજા નંબર પર રાખીશું.
પાર્ટીમાં વંશવાદ નહીં કાર્યકર્તાઓનું છે મહત્વ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાજનીતિક અસ્પૃશ્યતાના વિચારનો અસ્વીકાર કરતા પાર્ટીમાં વંશવાદને નહીં કાર્યકર્તાઓને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રણવ મુખર્જી, તરુણ ગોગોઈ એસ.સી. જમીર આમાંથી કોઈ રાજનેતા અમારી પાર્ટી કે પછી ગઠબંધનનો ભાગ ક્યારેય નથી રહ્યા પણ રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાનનું સન્માન કરવું અમારુ કર્તવ્ય છે. પીએમ એ કોરોનાકાળામાં દેશની એકજુથતાના વખાણ કર્યા.
અમારી પાર્ટી મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલી રહી છે -પીએમ
પીએમએ વિભિન્ન 3 રાજ્યોના વિભાજનને લઈને કહ્યું કે ભાજપની સરકારોએ 3 નવા રાજ્યો બનાવ્યા તો અમારા દરેક વર્તન વ્યવહારમાં દીનદયાળજી ના સંસ્કારોની અસર સ્પષ્ટ જોઈ શકે છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી મહાત્મા ગાંધીના એ સિદ્ધાંતો પર ચાલી રહી છે જેમાં અમને પ્રેમ અને કરુણાના પાઠ શીખવે છે. તેમજ પીએમએ કહ્યું તમે બધા દીનદયાળજીને પણ વાંચ્યા છે અને તેમને પોતાના આદર્શોથી જીવનને ઘડ્યું છે. જેથી તમે બધા તેમના વિચારો અને સમર્પણથી પરિચિત છો. મારો અનુભવ છે કે તેમના વિચારો આપણને દર વખતે નવીનતાનો અનુભવ કરાવે છે.
The life and mission of Deendayal Ji inspires us all.
On his Punya Tithi tomorrow, 11th February, will be addressing @BJP4India MPs.
પીએમએ કહ્યું સામાજિક જીવનમાં એક નેતા કેવા હોવા જોઈએ ભારતના લોકતંત્ર અને મૂલ્યોને કેવી રીતે જીવવા જોઈએ, દીનદયાળજી તેના સૌથી મોટા ઉદાહરણ છે. પહેલા જ પાર્ટીના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને લઈને પીએમએ ટ્વીટ કરી જણાવ્યું હતુ કે દીનદયાળજીનું જીવન અને તેમનું મિશન આપણા બધા માટે પ્રેરણાદાયક છે. તેમની પુણ્યતિથિ પર 11 ફેબ્રુઆરીએ હું ભાજપ સાંસદોને સંબોધિત કરીશ. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે ભાજપ ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવે છે. પાર્ટીના પિતૃપુરુષ ગણાતા દીનદયાળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પદાધિકારી તથા ભારતીય જન સંઘના અધ્યક્ષ પણ હતા.