નડ્ડા બે દિવસ માટે બંગાળ પ્રવાસ પર જશે. તેમજ બંગાળમાં હિંસાના વિરોધમાં ભાજપ 5 મેના રોજ દેશ ભરમાં પ્રદર્શન કરશે.
જેપી નડ્ડા 2 દિવસના પ્રવાસ પર બંગાળ જઈ રહ્યા છે
હિંસાના વિરોધમાં ભાજપ 5 મેના રોજ દેશ ભરમાં પ્રદર્શન
ભાજપના પાર્ટી કાર્યાલયમાં આગ લગાવ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો
જેપી નડ્ડા 2 દિવસના પ્રવાસ પર બંગાળ જઈ રહ્યા છે
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ ભાજપનું આક્રમક વલણ જરાય શાંત નથી થયુ. ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસાને જોતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસના પ્રવાસ પર બંગાળ જઈ રહ્યા છે. નડ્ડાનો આ પ્રવાસ 4 મેએ શરુ થશે અને આ 2 દિવસના પ્રવાસ દરમિયાન નડ્ડા હિંસામાં પીડિત ભાજપના કાર્યકર્તાઓ અને તેમના પરિજનો સાથે મુલાકાત કરશે.
હિંસાના વિરોધમાં ભાજપ 5 મેના રોજ દેશ ભરમાં પ્રદર્શન
આ સાથે બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા થયેલી હિંસાના વિરોધમાં ભાજપ 5 મેના રોજ દેશ ભરમાં પ્રદર્શન કરશે. પાર્ટીએ કહ્યુ કે પ્રદર્શન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પ્રદર્શનમાં ભાજપના તમામ મંડળોને સંગઠનનો ભાગ લેશે. હકિકતમાં ચૂંટણીના પરિણામ આવ્યાના એક દિવસ બાદ બંગાળમાં સોમવારે વ્યાપક સ્તર પર હિંસા જોવા મળી. જેમાં કથિત રીતે અથડામણ અને દુકાનોને લૂંટવામાં આવી આ દરમિયાન ભાજપના કાર્યકર્તાના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને વિપક્ષી કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનામાં તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે.
ભાજપના પાર્ટી કાર્યાલયમાં આગ લગાવ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો
ભાજપના એક પાર્ટી કાર્યાલયમાં આગ લગાવ્યાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વાંસના બેટ અને છત સળગતા નજરે પડી રહ્યા છે અને ત્રસ્ત લોકોને બુમો પાડતા અને ભાગતા નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મૃત વ્યક્તિઓની તસવીરો એને એક દુકાનમાંથી કપડાની લૂંટ કરી ભાગતા લોકોની ફુટેજ વાયરલ થઈ રહી છે. ભાજપનો દાવો છે કે તેમના ઓછામાં ઓછા 6 કાર્યકર્તાઓ અને સમર્થકો હુમલામાં માર્યા ગયા છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. ભાજપે આનો આરોપ તૃણમુલ પર લગાવ્યો છે.
ભાજપે પત્રકારોની સાથે એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં નંદીગ્રામમાં પાર્ટી ઓફિસમાં થયેલી તોડફોડ જોવા મળી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ સીટ પર ભાજપના શુભેન્દુ અધિકારીથી ચૂંટણી હારી ગયા હતા. રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યના ગૃહ સચિવ, ડીજીપી અને કોલકત્તાના પોલીસ આયુક્તને તાત્કાલિક બોલાવી તેમણને શાંતિ સ્થાપિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા.
ધનખડેએ ગૃહ સચિવ એકે દ્વીવેદી સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી
તેમણે તૂણમૂલ કોંગ્રેસના સત્તામાં આવ્યાના એક દિવસ બાદ થયેલી આ ઘટનાઓમાં બાદની સ્થિતિ પર ઓફિસરો સાથે ચર્ચા કરી. ધનખડેએ ગૃહ સચિવ એકે દ્વીવેદી સાથે મુલાકાત બાદ ટ્વીટ કરી. રાજ્યોમાં ચૂંટણી બાદ હિંસાની વધતી ઘટનાઓ બાદ મે એસીએસ ગૃહને સૂચના આપી હતી અને તેમને ચૂંટણી બાદ રાજ્યોમાં થયેલી હિંસા તથા તોડફોડ તથા તેમની સામે ઉઠાવવામાં આવેલા પગલાનો રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.