કેન્દ્ર સરકારે મંગળવારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ની જાહેરાત કરી છે, જેમા પહેલીવાર દરેક વ્યક્તિને 'પોતાના માતા અને પિતાના જન્મની તારીખ અને સ્થાન' ની જાહેરાત કરવી પડશે. ઘણા લોકોએ આ તરફ ધ્યાન આપ્યું છે કે, વર્ષ 2010માં થયેલા NPR દરમિયાન આ જાણકારી માંગવામાં આવી નહોતી.
કેન્દ્ર સરકારે મંગળવારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) ની જાહેરાત કરી છે
અમિત શાહે કહ્યું હતું કે, હાલ NRC અંગે કોઇ વાત થઇ રહી નથીં
NPR અને NRC વચ્ચે કોઇ સંબંધ નથી : ગૃહ મંત્રી અમિત શાહ
હવે જો ગેરકાનૂની રીતે ભારતમાં ઘુસણખોરી કરનાર લોકોની ઓળખ માટે કરવામાં આવનારી કવાયદ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ફોર સિટિજન્સ-NRC) ના સંદર્ભમાં તેને જોડીને જોવામાં આવે છે તો, આ NPR પણ વિવાદાસ્પદ બન્યું છે.
નાગરકિતા સંશોધન કાયદો, એટલે કે CAAના હેઠળ વર્ષ 1987 બાદ થયેલા લોકો માટે એ ફરજિયાત છે કે તેમના માતા અથવા પિતામાંથી કોઇ એક ભારતના નાગરિક હોય. ટીકાકારોએ સોશિયલ મીડિયામા પર એ સંભાવના દર્શાવી છે કે, જે પ્રકારે ગૃહ મંત્રી અમિત શાહ સંસદમાં અને તેની બહાર ઘણી વાર જાહેર કરી ચૂક્યા છે, એ પ્રકારે જો દેશભરમાં NRC લાગૂ કરવામાં આવે છે, તો માતા-પિતાના જન્મની તારિખ તથા સ્થાનની જરૂરિયાત રહેશે.
ગત NPRમાં 15 માપદંડો પર આંકડાઓ અને જાણકારી મેળવવામાં આવી હતી. આ વખતે આ માપદંડો 21 હશે. તેમા પાકુ સરનામુ, પાસપોર્ટ સંખ્યા, આધાર સંખ્યા, વોટર ઓળખ પત્ર સંખ્યા, ડ્રાઇવિંગ લાઇસન્સ સંખ્યા અને મોબાઇલ ફોન નંબર પણ સામેલ થશે, જે ગત વખતે પૂછવામાં આવ્યા નહોતા.
તેમા માતા પિતાનું નામ અને જીવનસાથીના નામને મિલાવીને એક જ પોઇન્ટ બનાવી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે, NPR હેઠળ એકઠી કરવામાં આવેલી જાણકારીનો ઉપયોગ NRCમાં કરવામાં આવશે નહીં. તેઓએ એમ પણ કહ્યું હતું કે, હાલ NRC અંગે કોઇ વાત થઇ રહી નથીં.
NPR અને NRC વચ્ચે કોઇ સંબંધ નથી : અમિત શાહ
3941 કરોડ રૂપિયાના ખર્ચથી NPRને અપડેટ કરવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવાના કેટલાક જ કલાકો બાદ ગૃહમંત્રીએ સમાચાર એજન્સી એએનઆઇને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ''NPR અને NRC વચ્ચે કોઇ સંબંધ નથી...આ વાત હું સ્પષ્ટ કરી રહ્યો છું...''
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું, ''NPR જનસંખ્યાનું રજિસ્ટર છે, જેના આધાર પર યોજનાઓ બનાવામાં આવે છે. NRCમાં લોકોને પૂછવામાં આવે છે કે, કયા આધાર પર દેશના નાગરિક છે. આ બંને પ્રક્રિયાઓનો અંદરોઅંદર સંબંધ નથી. NPR હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલી જાણકારીને NRC માટે ઉપયોગમાં કરવામાં આવી શકશે નહીં. તેઓએ એમ પણ કહ્યું કે, NPRથી પ્રાપ્ત જાણકારી અલગ-અલગ સરકારી યોજનાઓના લાભાર્થીઓના નિર્ણય કરવાનો આધાર બનશે.
શું છે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર? (NPR)
એનપીઆર ભારતમાં રહેતા સ્વાભાવિક રહેવાસીઓનું એક રજિસ્ટર છે. તેને ગ્રામ પંચાયત, રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર, જિલ્લા, ઉપ જિલ્લા અને સ્થાનીય સ્તરે તૈયાર કરવામાં આવે છે. નાગરિકતા કાયદો, 1955 અને સિટિજનશિપ નિયમ, 2003ની જોગવાઇ હેઠળ આ રજિસ્ટર તૈયાર થયા છે.