સરકાર હવે નવા વર્ષમાં પુરુષ કર્મચારીઓને પણ એક મોટી ગિફ્ટ આપી શકે છે. શ્રમ મંત્રાલય પેટરનિટી લીવ એટલે કે પિતૃત્વ રજાના મામલે એક અલગથી રાષ્ટ્રીય નીતિ ઘડવાની તૈયારી શરૂ કરી ચૂક્યું છે. આ મામલે આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ યુનિયન સાથે પરામર્શ કરવા ત્રિપક્ષીય બેઠક પણ યોજાશે.
પુરુષ કર્મચારીઓને પેટરનીટી લીવ
રાષ્ટ્રીય નીતીમાં થશે બદલાવ
રજાની મર્યાદામાં થશે વધારો
રાષ્ટ્રીય નીતીમાં થશે બદલાવ
હાલ પેટરનિટી લીવ માટે કોઇ નેશનલ પોલિસી નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૧૫ દિવસની પેટરનિટી લીવ આપવાની જોગવાઇ છે અને તેના આધારે કેટલીક ખાનગી કંપનીઓ પણ પોતાના કર્મચારીને ૧૫ દિવસની પેટરનિટી લીવ આપે છે અથવા કેટલીક કંપની તેનાથી પણ ઓછી લીવ આપે છે.
પુરુષ કર્મચારીઓને થશે લાભ
શ્રમ મંત્રાલય ઇચ્છે છે કે આ જોગવાઇને કાનૂની સ્વરૂપ આપવામાં આવે, જેથી ખાનગી સેક્ટરના તમામ કર્મચારીઓને તેનો લાભ મળી શકે. આ ઉપરાંત ૧૫ દિવસની રજાની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે. કુલ વર્ક ફોર્સમાં પુરુષ કર્મચારીઓની સંખ્યા ૭૦ ટકાથી વધુ છે. તેથી પેટરનિટી લીવ વધારીને એક મહિનાની પણ કરવામાં આવી શકે છે.