બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / સૈફ અલી ખાન હુમલા કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની એન્ટ્રી, નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપે છે

મુંબઈ / સૈફ અલી ખાન હુમલા કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની એન્ટ્રી, નામ સાંભળીને ગુનેગારો થરથર કાંપે છે

Last Updated: 06:07 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં દયા નાયક ખૂબ ચર્ચામાં છે. દયા નાયકના નેતૃત્વમાં જ સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. જાણો કોણ છે દયા નાયક..

અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બુધવારે મોડી રાતની છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળ પર તપાસ કરવા પહોંચી. ઘટના બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. માહિતી સર્જરી બાદ તેની હાલત ખતરાની બહાર છે.  

ચાકુથી કર્યો હુમલો

સૈફ અલી ખાનનું ઘર 'સતગુરુ શરણ' બિલ્ડિંગમાં છે. ઘટના સમયે તે ઘરે જ હતો. પોલીસ અનુસાર હુમલાવરએ પહેલા સૈફ અલી ખાનની નોકરાણીથી ઝગડો કર્યો. આ દરમિયાન જ્યારે તેને હસ્તક્ષેપ કર્યો તો હુમલાવરે તેના પર ચાકુથી હુમલો કર્યો.

સૈફની ટીમે શું કહ્યું?

સૈફ અલી ખાનની PR ટીમ તરફથી એક સંદેશમાં કહેવામાં આવ્યું હતું કે સૈફ અલી ખાનના ઘરમાં ચોરીનો પ્રયત્ન આવ્યો હતો. તે ત્યારે હોસ્પિટલમાં છે અને સર્જરી કરાવી રહ્યો છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે અને આ કેસ દયા નાયકના નેતૃત્વ હેઠળ તપાસ ચાલુ છે.

કોણ છે દયા નાયક?

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ ટીમનું નેતૃત્વ દયા નાયક કરી રહ્યા છે. તેના નેતૃત્વમાં જ સૈફ અલી ખાન પર થયેલા હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર દયા નાયક એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે. તે ગુરુવારે ઘટનાસ્થળે પણ પહોંચ્યો. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ ઘટનાસ્થળ પર સઘન તપાસ હાથ ધરી.

PROMOTIONAL 12

અપરાધીઓમા છે દયા નાયકનો ડર

માહિતી અનુસાર દયા નાયક 1996 બેચના પોલીસ અધિકારી છે. તેના નેતૃત્વમાં ઘણી અથડામણમાં અપરાધીઓને ઠાર ઠારવામાં સફળતા મળી છે. ગત વર્ષે જ દયા નાયકને પ્રમોશન મળ્યું હતું. અંડરવર્લ્ડના નેટવર્કને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુ વાંચો: વિરાટ-અનુષ્કાનો 340000000 રૂપિયાનો આલીશાન બંગલો બનીને તૈયાર, જુઓ ઈનસાઈડ તસવીરો

1996માં જુહુ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ થયેલા દયા નાયક પ્રદીપ શર્મા સાથે પણ કામ કરી ચૂક્યો છે. તે ત્રણ વર્ષ સુધી ATSમાં રહી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દયા નાયકની 80થી વધુ ગુનેગારો સાથે અથડામણ થઈ છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saif Ali khan Bollywood news Daya Nayak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ