મોદી સરકારે દેશમાં કોરોનાની સ્થિતિ સંભાળવા માટે ઉચ્ચ સ્તરનું રેટિંગ મેળવ્યું છે. ત્રણ ચતુર્થાંશ ભાગના લોકોએ સરકારના પ્રયાસોને ઉંચું રેટિંગ આપ્યું છે. આઈએએનએસ સી-વોટર કોવિડ 19 ટ્રેકરથી આ જાણકારી મળી છે. નવા પોલ અનુસાર સર્વેમાં સામેલ 1723 લોકોમાંથી 77.3 ટકા લોકોએ મોદી સરકારની નીતિને આ સંકટની ઘડીમાં વખાણી છે. જ્યારે 19.1 ટકા લોકોએ આ નીતિમાં અસહમતિ દર્શાવી છે.
77.3 ટકા લોકોએ મોદી સરકારની નીતિને પ્રશંસનીય ગણાવી
19.1 ટકા લોકોએ આ નીતિમાં અસહમતિ દર્શાવી
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પણ લોકોમાં જોવા મળ્યો આશાવાદ
આ કેસમાં સ્વીકાર્યતા રેટિંગ પહેલાં થોડા મહિનાના આધારે ઉંચું નથી અને સતત આર્થિક પાયમાલી લોકોની ધીરજની પણ પરીક્ષા લઈ રહી છે. એપ્રિલ જૂન મહિનામાં આ કેસમાં સ્વીકાર્યતા રેટિંગ 90-80ની વચ્ચે હતું. કોરોના સંકટના દર મહિને વધતા કેસને કારણે હવે 60 ટકા લોતોનું માનવું છે કે તેઓ સંક્રમિત થઈ શકે છે. સર્વેમાં એક પ્રશ્ન એ હતો કે હું એ વાતથી ડરેલો છું કે હું અથવા મારા પરિવારમાંથી કોઈને કોરોના થઈ શકે છે. આ પ્રશ્ન પર 59.8 ટકા લોકોએ સહમતિ દેખાડી છે. જ્યારે 34.9 ટકાએ અસહમિત દર્શાવી છે.
લોકડાઉનમાં લોકો રાશનને લઈને બન્યા સજાગ
કોરોનાની સ્થિતિ સાથે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો નથી.સર્વેમાં સામેલ અડધાથી વધુનું માનવું છે કે કોરોનાને વધારીને રજૂ કરવામાં આવ્યો છે. 49.3 ટકા જવાબ આપનારાઓએ કહ્યું કે આ ડરને વધારી દેવાયો છે. જ્યારે 41.2 ટકાએ અસહમતિ દર્શાવી હતી. જ્યારે લોકડાઉનના નવા અનુભવને લીને લોકો રાશન ભરવા માટે સજાગ બન્યા હતા. 54.3 ટકા લોકોનું કહેવું છે કે તેમની પાસે 3 અઠવાડિયાનું જ રાશન છે. જ્યારે 44.7 ટકા લોકો પાસે 3 મહિનાથી પણ ઓછું રાશન છે.