વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આજે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક એટલે કે સેરાવીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
આજે સેરાવીક એવોર્ડ આપીને કરાશે સન્માન
વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રે પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાય છે આ એવોર્ડ
પીએમ મોદીને આ પહેલા ગેટ્સ ફાઉન્ડેશન અને યુનોનો એવોર્ડ પણ મળી ચૂક્યા છે
ભારતીય પીએમ નરેન્દ્ર મોદીને ૫ માર્ચ શુક્રવારના રોજ કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક) ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશે. પીએમ ઓફિસ દ્વારા આ અંગે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સમારોહમાં હાજરી આપશે અને આ કાર્યક્રમને સંબોધન પણ કરશે.
PM Narendra Modi to receive the CERAWeek Global Energy and Environment Leadership Award and deliver keynote address at the CERAWeek 2021 on March 5: Prime Minister's Office pic.twitter.com/y7j3zfMafT
મહત્વનું છે કે ડો. ડેનિયલ યેરગિને ૧૯૮૩માં સેરાવીકની સ્થાપના કરી હતી. તેની સ્થાપના પછીથી દર વર્ષે માર્ચમાં હાર્વેસ્ટનમાં તેનું આયોજન કરવામાં આવે છે. તેની ગણતરી વિશ્વની અગ્રણી એનર્જી ફોરમમાં થાય છે. આ વર્ષે 1 થી 5 માર્ચ દરમિયાન આ કાર્યક્રમ વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યો છે. સેરાવીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડની સ્થાપના 2016 માં કરવામાં આવી હતી. વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આ એવોર્ડ આપવામાં આવે છે.
શુક્રવારે પીએમ મોદી તેમના સ્વીડિશ સમકક્ષ સાથે કરશે વાતચીત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેના સ્વીડિશ સમકક્ષ સ્ટીફન લોફવેન સાથે ડિજિટલ સમિટ કરશે અને આ દરમિયાન બંને નેતા દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ, તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર-વિનિમય કરશે. વડા પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનના અનુસાર, બંને નેતા કોવિડ -19 પછી પરસ્પર સહયોગને મજબૂત કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. 2015 પછી બંને નેતાઓ વચ્ચે આ પાંચમો સંવાદ હશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને સ્વીડન વચ્ચે લોકશાહી, સ્વતંત્રતા, અનેકતા અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય સીમાના ભાગીદારી વાળા મૂલ્યોના આધારે ઊંડા અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ, ઇનોવેશન, વિજ્ઞાન અને તકનીકી તેમ જ સંશોધન અને વિકાસના ક્ષેત્રોમાં ગાઢ સંબંધ છે." હેલ્થ અને લાઈફસાઇન્સ, ઓટો ઉદ્યોગ, ક્લીન ટેકનોલૉજી, ડિફેન્સ, ભારે મશીન ને ઉપકરણો વગેરેના ક્ષેત્રમાં લગભગ 250 સ્વીડિશ કંપનીઓ કાર્યરત છે.
બંને નેતાઓ વચ્ચે થશે વિચાર વિનિમય
સ્વીડનમાં 75 જેટલી ભારતીય કંપનીઓ પણ કાર્યરત છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમિટ દરમિયાન બંને નેતા દ્વિપક્ષીય સંબંધોના તમામ પરિમાણો ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંતવ્યોની આપ-લે કરશે. તે જ સમયે, કોવિડ -19 પછી પરસ્પર સહયોગને મજબૂત કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ 2018 માં સ્ટોકહોમની મુલાકાત લીધી હતી. સ્વીડનના વડા પ્રધાન લોફ્વેન 2016માં ભારતની મુલાકાતે પધાર્યા હતા.