મોદીએ કહ્યું કે મને ઘણુ બધુ ખરાબ કહેવાયું પણ મને ખોટું લાગ્યુ નથી.
પીએમ મોદીએ કહ્યું કે કૃષિ સુધારા પર કોંગ્રેસે અચાનક યુટર્ન લઈ લીધો છે. કોંગ્રેસવાળા મારી વાત માને કે ન માને પણ મનમોહનસિંહ તો વાત માનો. મનમોહન સિંહે ખેડૂતોને ક્યાંય પણ પાક વેચવાની આઝાદી આપવાની વાત કરી હતી. જે મનમોહન સિંહ ઈચ્છતા હતા તે મેં કરી દેખાડ્યું છે. રાજકારણનો પ્રભાવ હોય તો આપણા વિચાર પાછળ રહી જાય છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસે આ વાતનો ગર્વ કરવો જોઈએ.
જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તક લેતા રહેજો... વિપક્ષને પીએમ મોદીનો કટાક્ષ
મોદીએ કહ્યું કે મને ઘણુ બધુ ખરાબ કહેવાયું પણ મને ખોટું લાગ્યુ નથી. મને ખબર છે કે લોકડાઉન દરમિયાન તમે ઘરની બહાર નીકળી શક્યા નથી, તમે ઘરમાં રહ્યાં હશો. આ દરમિયાન ઘરમાં ઘણી માથાકૂટ થઈ હશે અને તેથી તમે તમારો ગુસ્સો મનમાં સંઘરી રાખ્યો હશે અને અહીં આવીને ગુસ્સો કાઢી શક્યા છો સારી વાત છે અને તેનાથી તમારુ મન હળવું થઈ ગયું હશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી તેની પણ તક લેતા રહો.
કૃષિ કાયદાના મુદ્દા પર બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું, ચર્ચામાં કાયદાની સ્પિરિટ પર વાત નથી થઇ, ફરિયાદ છે પરંતુ પ્રસ્તુતીકરણ ઠીક રીતે નહોતું, જલ્દી કરી દીધું. આ તો થાય છે. આ તો પરિવારમાં લગ્ન હોય છે, તો પણ ફૈબા નારાજ થઇને કહે છે, મને ક્યાં બોલાવી છે, આટલો મોટો પરિવાર છે તો આવું જોવા મળે શકે છે.
ગુલાબ નબી આઝાદ પર સાધ્યું નિશાન
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધ્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે ગુલામ નબી જી હંમેશા શિસ્ત રીતે બોલે છે, તેઓને કાશ્મીરમાં થયેલ ચૂંટણીની પ્રશંસા કરી. પરંતુ તેમને ડર છે કે પાર્ટી દ્વારા તેમના પર કોઇ પગલા લેવામાં ન આવે અને તેને G-23ની સલાહ માની લેવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પોતાના અંદાજે 70 મીનિટના ભાષણમાં પીએમ મોદીએ કૃષિ કાયદા, ચીન સરહદ, અર્થવ્યવસ્થા અને કોરોના કાળને લઇને વાત કરી અને વિપક્ષ પર નિશાન તાક્યું.