બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમરનાથ યાત્રા માટે અહીંથી થઈ શક્શે ઓફલાઈન રજીસ્ટ્રેશન, જાણો કેટલી ચૂકવવી પડશે ફી

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / અમરનાથ યાત્રા માટે અહીંથી થઈ શક્શે ઓફલાઈન રજીસ્ટ્રેશન, જાણો કેટલી ચૂકવવી પડશે ફી

Last Updated: 09:12 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમરનાથ યાત્રા ભારતની એક પવિત્ર અને શ્રદ્ધાથી ભરેલી યાત્રા છે, જ્યાં હજારો ભક્તો વર્ષે "બાબા બર્ફાની"નાં દર્શન માટે જાય છે. વર્ષ 2025 માટે આ યાત્રાની નોંધણી શરૂ થઈ ગઈ છે, ચાલો જાણીએ એની તમામ જરૂરી વિગતો.

1/5

photoStories-logo

1. અમરનાથ યાત્રા 2025: શ્રદ્ધાળુઓ માટે મહત્વની માહિતી

ભારતમાં અનેક પવિત્ર તીર્થસ્થળો છે, જેમાંથી અમરનાથ યાત્રા ખૂબ જ વિશેષ ગણાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ "બાબા બર્ફાની"નાં દર્શન માટે કઠિન અને આસ્થાથી ભરેલી યાત્રા કરે છે. ગયા વર્ષે એટલે કે 2024માં, 5.12 લાખથી વધુ ભક્તોએ અમરનાથ યાત્રા કરી હતી, જે છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઓનલાઈન અને ઑફલાઈન બંને પ્રક્રિયા

વર્ષ 2025 માટે અમરનાથ યાત્રાની નોંધણી 15 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. આ નોંધણી બંને રીત ઓનલાઈન અને ઑફલાઈનમાં શક્ય છે. ભક્તો પોતાનાં અનુકૂળતા મુજબ કોઈ પણ રીત પસંદ કરી શકે છે. મહત્વનું એ છે કે યાત્રા શરૂ કરવા માટે નોંધણી કરાવવી ફરજિયાત છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઑફલાઈન નોંધણી

જો તમે ઑફલાઈન નોંધણી કરાવવા માંગતા હોવ, તો દેશભરના 600થી વધુ બેંકોમાં ફોર્મ ઉપલબ્ધ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી બેંકોમાં નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. ઑફલાઇન નોંધણી માટે તમારે એક આરોગ્ય પ્રમાણપત્ર અને ઓળખપત્ર સાથે નોંધણી ફોર્મ ભરીને બેંકમાં જમાવવાનું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. નોંધણી કરવા માટે ફી

આ નોંધણી માટેનો ફી માત્ર ₹220 રાખવામાં આવ્યો છે. નોંધણી પછી યાત્રા શરૂ કરતા પહેલા દરેક ભક્તનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જો કોઈ યાત્રાળુ તંદુરસ્તી પરીક્ષણમાં પાસ ન થાય, તો તેને યાત્રાની મંજૂરી આપવામાં આવતી નથી. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા માટે જ રાખવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઑફલાઈન નોંધણી

જે લોકો ઓનલાઈન કે ઑફલાઈન નોંધણી ન કરાવી શકે, તેઓ માટે પણ વ્યવસ્થા કરાઈ છે. જમ્મુ, શ્રીનગર, કટરા, નુનવાન, બાલતાલ, બંટા ચોક અને પહેલગામ જેવા સ્થળોએ સ્થળ પર નોંધણી થઈ શકે છે. એટલે જો કોઈ પાસે સમયની તંગી હોય તો તેઓ સ્થળ પર જઈને પણ નોંધણી કરાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra 2025 Amarnath Yatra offline form Amarnath Yatra registration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ