નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટીએ ભારતમાં દવાની વર્તમાનમાં MRPના આધારે 21 દવાઓની કિંમતમાં 50 ટકા સુધીનો ભાવવધારો થઈ શકે છે. આ માટે તેને મંજૂરી પણ મળી ચૂકી છે. આ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે જ્યારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી (NPPA) આવું કરી રહ્યું છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટીનો નિર્ણય
દવાઓમાં 50 ટકા સુધી ભાવવધારાની મળી મંજૂરી
21 દવાઓની કિંમતમાં 50 ટકા સુધીનો ભાવવધારો થશે
ખાવાપીવાની રોજિંદી ચીજો બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટીએ 21 દવાઓના ભાવવધારાની અનુમતિ આપી છે. આ ભાવવધારો 50 ટકા સુધીનો થઈ શકે છે. માર્કેટમાં મહત્વની દવાઓના સપ્લાયને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના દવાના MRPએ હાલમાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે 21 દવાઓની MRP 50 ટકા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આવું પહેલીવાર બન્યુ છે જ્યારે NPPA આવું કરી રહ્યું છે.
સામાન્ય ઉપચારમાં લેવાતી દવાઓ થશે મોંઘી
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરીટી જરૂરી અને જીવનરક્ષક દવાઓની કિંમતોને ઓછી કરવા માટે જાણીતું છે.પરંતુ દવાઓની અછતને કારણે મોંઘો વિકલ્પ પસંદ કરનારા રોગીઓને રોકવા માટે સાર્વજનિક હિતમાં કિંમતો વધારવામાં આવી રહી છે. મોંઘી થનારી મોટા ભાગની દવાઓનો ઉપયોગ સામાન્ય ઉપચાર માટે કરવામાં આવે છે. અને સાર્વજનિક કાર્યક્રમોનું અભિન્ન અંગ છે.
કઈ દવાઓ પર લાગૂ પડશે આ નિયમ
આ નિર્ણય NPPA દ્વારા 9 ડિસેમ્બરે લેવામાં આવ્યો હતો. આ બીસીજી વેક્સિન જેવા કે તપેદિક, વિટામિન સી, એન્ટીબાયોટિક્સ જેવા મેટ્રોનિડાઝોલ અને બેંઝિલપેનિસિલિન, મેલેરિયા નિરોધી દવા ક્લોરોક્વીન અને કુષ્ઠરોગી દવા ડૈપ્સન પર લાગૂ થશે. એક રિપોર્ટ અનુસાર ઓથોરિટી આ દવાઓને બનાવવાને માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય ચીજોની વધતી કિંમતોના કારણે સંભવિત અછતને દૂર કરવા માટે MRPના આધારે કેટલીક દવાઓના ભાવ વધારવાનું વિચારી રહી છે.
21 દવાઓનો ઉપયોગ ઉપચારમાં પ્રાથમિક રૂપમાં કરાય છે
9 ડિસેમ્બરે યોજાયેલી બેઠકમાં ઉલ્લેખ કરાયો છે કે DPCO 2013ના 19મા પેરેગ્રાફ મુજબ MRPને માટે જે 21 નામ પર વિચાર કરાયો છે તે ઓછી કિંમતની છે. આ દવાઓને વારંવાર MRPની રીતે નક્કી કરવામાં આવી રહ્યું છે. તેમાં મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારમાં પ્રાથમિક રૂપમાં કરવામાં આવે છે. દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમને માટે આ મહત્વનું પગલું છે. આ કંપનીઓએ અસ્થિરતાને કારણે ઉત્પાદનને બંધ કરવાની અરજી કરી છે.
જરૂરી દવા હોઈ લોકો વધારે કિંમતે પણ ખરીદશે
NPPAનો આદેશ સસ્તી કિંમતો પર દવાઓની ઉપલબ્ધતા નક્કી કરવાનો છે. માર્કેટમાં આ દવાઓની અછત યોગ્ય નથી. જીવન બચાવનારી આ દવાઓ સામાન્ય વ્યક્તિ ખરીદી શકે તેવી હોવી જોઈએ. માટે જ આ દવાઓની અછત નહીં થાય પણ તેની કિંમતમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. જ્યારે દવાઓ માર્કેટમાં નહીં મળે તો લોકો તેની વધારે કિંમત ચૂકવવા માટે પણ તૈયાર રહેશે.