મોદી સરકાર દેશના નાગરીકો માટે ઘણા પ્રકારની યોજના લઈને આવી છે. સરકાર હાલ એક એવી સ્કીમ લઈને આવી છે જેમાં દુકાનદારોને પણ 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાની જોગવાઈ છે.
દુકાનદારોને પણ 60 વર્ષ બાદ મળશે પેન્શન
2019માં શરૂ કરવામાં આવી હતી આ યોજના
જાણો તેના વિશે બધુ જ
મોદી સરકાર દેશના નાગરીકો માટે અલગ અલગ પ્રકારની યોજનાઓ લઈને આવે છે. સરકાર પાછલા દિવસોમાં એક એવી સ્કીમ લઈને આવી છે. જેમાં દુકાનદારોને પણ 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાની જોગવાઈ છે. તેમાં રજીસ્ટ્રેશન કરનાર વ્યક્તિનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે.
60 વર્ષની ઉંમર પુરી થવા પર મળશે પેન્શન
સરકારની તરફથી પોતાનો બિઝનેસ કરનાર લોકો માટે નેશનલ પેન્શન સ્કીમ લાવવામાં આવી છે. તેમાં રજીસ્ટ્રેશન કરવા માટે તમારા વ્યાપારનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા અથવા તેનાથી ઓછુ થવું જોઈએ. આ એક સ્વૈચ્છિક યોજના છે. જેમાં બિઝનેસ કરનારને 60 વર્ષ ઉંમર પુરી થવા પર 3,000 રૂપિયા મહિનાનું ન્યૂનતમ પેન્શન મળશે.
2019માં શરૂ કરવામાં આવી હતી આ યોજના
મોદી સરકારે આ યોજનાને 2019માં શરૂ કરી હતી. જો યોજનામાં રજીસ્ટ્રેશન કરનારનું મોત થઈ જાય તો લાભાર્થીની તરફથી બનાવવામાં આવેલા નોમિનીને પારિવારિક પેન્શનના રૂપમાં 50 ટકા પેન્શન આપવામાં આવે છે. વધુ જાણકારી માટે તમે Labor.gov.in અને maandhan.in પર પણ લોગઈન કરી શકો છો.
યોજનાનો લાભ ઉઠાવવા માટે પાત્રતા
આ યોજનામાં રજીસ્ટ્રેશન કરનાર એક વ્યાપારીની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે જ વ્યાપાર કરનાર વ્યક્તિનો વાર્ષિત વ્યાપાર 1.5 કરોડ રૂપિયા અથવા તેનાથી ઓછો હોવો જોઈએ.
કયા ડોક્યુમેન્ટ્સની રહેશે જરૂરીયાત?
એનરીએસ એનરોલમેન્ટ માટે તમારી પાસે આધાર કાર્ડ અને બચત બેન્ક ખાતુ, જનધન ખાતા સંખ્યા હોવી જોઈએ.
યોગદાન
યોજનામાં કેન્દ્ર સરકારની તરફથી પણ રજીસ્ટ્રેશન કરનારના ખાતામાં અંશદાન કરવામાં આવે છે. સ્કીમ સાથે જોડાવનારને 60 વર્ષની ઈનકમ સુધી બચત બેન્ક ખાતું અથવા જનધન ખાતાથી ઓટો ડેબિટ દ્વારા કોન્ટ્રીબ્યૂશન કરવાનું રહેશે.