પીએમ મોદી આ સાથે પરિક્ષા પર ચર્ચા કરશે. આ સાથે તે વિદ્યાર્થીઓને પરિક્ષા સાથે જોડાયેલી તૈયારીઓને કેવી રીતે સારી બનાવી શકાય તેની ટિપ્સ આપશે. પીએમની સાથે પરિક્ષા-પે - ચર્ચા કાર્યક્રમની શરુઆત સાંજે 7 વાગે થશે. આ કાર્યક્રમ પહેલી વાર વર્ચ્યૂઅલ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
દુનિયાના 81 દેશોના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
પરિક્ષા- પે- ચર્ચા કાર્યક્રમમાં પીએમ વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપશે. આ વિદ્યાર્થીઓની પસંદગી નિબંધ લેખન સ્પર્ધાના માધ્યમથી કરવામાં આવશે. તેમાં દેશ તથા વિદેશના વિદ્યાર્થીઓ સામેલ થશે. પ્રધાનમંત્રીની સાથે પરિક્ષા- પે- ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ દુનિયાના 14 લાખથી વધારે લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ છે. જ્યારે લગભગ અઢી લાખ શિક્ષક અને એક લાખ અભિભાવક સામેલ છે. ચર્ચામાં શામિલ થવા માટે દુનિયાના 81 દેશોના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીની ટિપ્સ લેવા આતુર છે વિદ્યાર્થીઓ
7 એપ્રિલે સાંજે 7 વાગે આ ચર્ચામાં વિભિન્ન ઈન્ટરનેટ ચેનલ પર દર્શાવવામાં આવશે. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યુ છે કે પરિક્ષા આપનારા વિદ્યાર્થીઓ, અભિભાવક તથા શિક્ષકોની સાથે આ ચર્ચા રસપ્રદ સવાલ અને યાદગાર ચર્ચા પરિક્ષાર્થીઓનું મનોબળ વધારશે. બીજી તરફ પ્રધાનમંત્રીની ચર્ચાને લઈને માધ્યમિક શિક્ષા વિભાગમાં તમામ બોર્ડની સ્કૂલો આ સંબંધમાં જાણકારી આપતા પરિક્ષાર્થિઓને પરિક્ષાની ચર્ચા 2021થી લાભાન્વિત કરાવવાનું કહ્યું છે. આ વખતે ફરી વિદ્યાર્થીઓ પરિક્ષાને લઈને પીએમની ટિપ્સ લેવા આતુર છે.
પરિક્ષા- પે -ચર્ચા કાર્યક્રમનું આ ચોથુ પ્રકરણ છે
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ વિદ્યાર્થીઓની સાથે પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની શરુઆત વર્ષ 2018માં કરી હતી. આ ચર્ચાની આ ચોથી આવૃતિ છે. આ દરમિયાન પીએમે દેશભરના વિદ્યાર્થીઓ, અભિભાવકો તથા શિક્ષકોને આમને -સામને રુબરુ થઈને પરિક્ષા પર ચર્ચાને યાદગાર બનાવ્યા હતા.