ભારતે પાકિસ્તાન પર કરેલા સર્જીકલ સ્ટ્રાઈક બાદ પણ પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. ત્યારે હવે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાને નવો કિમીયો અપનાવ્યો છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર ઘૂસણખોરી કરવા માટે ડબલ ડેકર કોંક્રીટના બંકર બનાવવામાં વ્યસ્ત હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાકિસ્તાન આ પ્રકારના બંકર બનાવીને આતંકીઓને છૂપાવવાની ફિરાકમાં છે. જો આતંકીઓ ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહે તો બંકરમાં છૂપાઈ શકે તે માટે પાકિસ્તાન ષડયંત્ર રચી રહ્યું છે. આ આતંકીઓને કેવી રીતે બચાવવામાં આવે તે માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાની રેન્જર્સ કરી રહ્યા છે.
ઘૂસણખોરી દરમિયાન આતંકીઓને કવર ફાયર આપવા માટે આ બંકર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સીમાથી આવા 36 જેટલા બંકરો માત્ર 600 મીટર જ દૂર છે. ત્યારે BSF આ હિલચાલ પર નજર રાખી રહ્યું છે અને ગૃહમંત્રાલયને પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે.